________________
( ૨૨ )
શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી જિનેશ્વરને નમસ્કાર કરી પેાતાના પિરવાર સહિત બુદ્ધિમાન ભીમસેન પેાતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં અનેક રાજાએથી પૂજાતા લીમસેન રાજા મહાત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો. તે વખતે શુભ લક્ષણવાળા તે રાજાને જોઇને પાર લેાકેાએ હર્ષ પામી મહાત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરની સ્ત્રીઓએ વધાવવા માટે ઉછાળેલ લાા ( ધાણી )ને ગ્રહણ કરતા તે રાજા લેાકેાને ષ્ટિવડે આનંદ પમાડતો પેાતાના રાજમહેલમાં આવ્યો. ત્યાં ધન, વસ્ત્ર, અશ્વ, તાંબુલ, મિષ્ટ વચન અને પ્રસન્ન દૃષ્ટિવડે સર્વ જનાના સત્કાર કરી રાજાએ પાતાના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારપછી પેાતાના ખસહિત ભીમસેને કુળદેવતાને નમસ્કાર કરી તથા ભોજન કરી ક્ષણવાર વિશ્રાંતિ લીધી. ત્યારપછી પ્રતિહારીએ સભાના સમય જણાવ્યો ત્યારે સભાસદાવડે શાલતા સભામંડપમાં ભીમરાજા આવ્યો. આ રીતે લેાકેાને પ્રસન્ન કરતા, આતુરતા રહિતપણે ધર્મ ને કરતા અને લાભરહિતપણે ધનને ગ્રહણ કરતા તે રાજા શાંતિપૂર્વક પૃથ્વીનુ પાલન કરવા લાગ્યો. તે રાજા રાજ્ય કરતા હતા ત્યારે ચારી એવા શબ્દ જ માત્ર સાંભળવામાં આવતા હતા, નગરના લેાકેા જરા પણ દુ:ખી નહાતા અને કોઇ ધર્મ ભ્રષ્ટ પણ નહાતા. પેાતે ક્રોધથી માતપિતાના વધ કર્યાં હતા તે વાત સ્મૃતિમાં આવવાથી અત્યત શાક કરતા તે ભીમરાજાએ પૃથ્વીને જિનેશ્વાના ચૈત્યોથી સુશૅાભિત કરી. સંસારસંબધી વિકારોને ત્રાસ પમાડતા, દીનજનેાની દીનતાને દળી નાખતા અને પૂયની ભક્તિ કરતા તે રાજા રાજ્યનું પાલન કરવા લાગ્યા. સર્વ શત્રુઓને પરાજય કરી અને લઘુમ ને યુવરાજપદ પર સ્થાપન કરી પેલા પરદેશી મિત્રને તેણે કાશના અધિપતિ બનાવ્યો,