________________
( ૧૦ ) પિતાના સેવકે સહિત તેને અધિષ્ઠાયક દેવ સંગીતમાં મગ્ન થયે ત્યારે ભીમ ત્યાંથી બહાર નીકળીને નાશી ગયે. ત્યાંથી ધીમે ધીમે માર્ગમાં જતે તે ભીમ કેટલેક દિવસે સિંહલદ્વીપમાં જ રહેલા ક્ષિાતમંડન નામના પુરમાં આવ્યા. તે પુરમાં સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય લક્ષ્મીપતિ નામને શ્રેષ્ઠી હતો. તેને ઘેર તે ભીમ વિવિધ પ્રકારના કરીયાણાની વખાર ઉપર કામ કરવા રહ્યો. ભયંકર આકૃતિવાળા અને બીજાને ઠગવામાં પ્રવીણ એવા તે ભીમસેને તે જ વેપારીની દુકાનમાંથી ઘણી વસ્તુઓ ચેરી કેમકે “ જે જેને સ્વભાવ હોય છે તેવું જ તેનું વર્તન હોય છે. સેંકડે ઉપાય કર્યા છતાં પણ કુતરાનું પૂછડું વાંકું જ રહે છે.” હવે એકદા નગરમાં ચોતરફ તપાસ કરવા માટે ફરતા કેટવાળાએ “આ ચેર છે એમ જાણી તેને ભિલ્લની જેમ બાંધ્યો. પછી રાજાના હુકમથી રાજદૂત કેતુક સહિત તે અપરાધીને આખા નગરમાં ફેરવીને વધ કરવાને સ્થાને લઈ ગયા. તેવામાં પેલા ઈશ્વરદત્ત શ્રેષ્ઠીએ તેને જેઈ પિતાને ઉપકારી છે એમ ઓળખી તત્કાળ રાજા પાસે પ્રાર્થના કરી તે ભીમસેનને છોડાવ્યા. ત્યાંથી ભય પામેલ તે ભીમ સાહસકર્મમાં નિપુણ હોવાથી વહાણ ઉપર ચડી કેટલેક દિવસે પૃથ્વીપુર નામના નગરમાં ગયા. વહાણમાંથી ઉતરીને તે ભીમે ત્યાં રહેલા એક પરદેશી પુરૂષને પિતાને વૃત્તાંત જણાવ્યું. તેને વૃત્તાંત સાંભળીને તે પથિકે તેને કહ્યું કે-“તું શોક ન કર, તું મારી સાથે સુખેથી ચાલ.” પછી તે બને ત્યાંથી શીધ્રપણે રેહણાચળ પર્વત તરફ ચાલ્યા.
માર્ગમાં તાપસને એક મનોહર આશ્રમ આવ્યું. તેમાં અલ્પ આહાર કરનાર એક જટિલ નામનો વૃદ્ધ તાપસ હતો. તેને હર્ષથી પ્રણામ કરી તે બને ત્યાં રહ્યા. તેવામાં તેના જંગલ નામના એક શિષ્ય આકાશમાંથી ઉતરી વિનયવડે