________________
કામગીરી પણ ભાઈશ્રી કુમારપાળને એવી ફાવી ગઈ છે કે જ્યાં સુધી એ આવી કામગીરી માટે ઉપલબ્ધ હોય ત્યાં સુધી બીજાને બોલાવવાના વિચાર જ સભાના સંચાલકોને ન આવે.
આટલી બધી પ્રવૃત્તિઓ હોય, આટલાં બધાં લખાણો લખવાનાં હોય એવી વ્યક્તિ કેટલી ભારેખમ હશે એમ વિચાર આવ્યા વિના ન રહે, પરંતુ એમને નજરે જોયા પછી માન્યામાં ન આવે કે આ વ્યક્તિ એ જ છે. એમના મુખ ઉપર સદાય આછું હાસ્ય અને કામનો ભાર જણાય જ નહિ. જોડે બેઠાં હોઈએ ત્યારે પણ હવે આ કામ છે, કે અહીં જવાનું છે, વગેરે, વગેરે કોઈ જ વાતો નહિ, ઊલટાનું સહજ રીતે હળવાશથી જ એ વાત કરતા હોય. ખૂબીની વાત તો એ છે કે એમનાં પત્ની ઉપર પણ કામનો ભાર જણાય નહિ. બેઉ જણ હાસ્યથી તમને આવકારે અને પોતાનું જીવન આટલી હળવાશથી જીવી શકે એ ખરેખર, ઘણા બધા માટે જીવનમાં શીખવા જેવી એક મહાન વસ્તુ છે.
પ્રભુ એમને દીર્ઘ અને તંદુરસ્ત જીવન આપે અને એમના દ્વારા અનેક લોકોનું કલ્યાણ થાય એ જ અંતરની પ્રાર્થના. અસ્તુ!
જૈન ધર્મતત્વના વિદ્વાન અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત
10 અનોખું વ્યક્તિત્વ