SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ પત્ની અને મિત્ર. ધર્મદત્ત વિશ્વાસથી કંગાયેલે રાજસભામાં આવ્યો. ધર્મદત્તનું "કુતુહળ જેવાને સભા ચકાર ભરાઈ હતી. કેતુક જેવામાં અતિ ' ઉત્સુક ચિતવાળા રાજાએ ધર્મદત્તને યવ ઉગાડવાની આજ્ઞા આપી. સભ્યજને પણ આતુર નયને જોવા લાગ્યા. રાજાની આજ્ઞા મળવાથી ધર્મદત્તે યવને જમીનમાં વાવ્યા, જળ સિંચન કર્યું, પણ ‘દાવાગ્નિથી દગ્ધ થયા હોય તેની માફક વારંવાર જળથી સિંચાતાં છતાં તે ન ઉગ્યા. જેમ ગુરૂ ભણાવી ભણાવીને થાકે પણ જડ શિષ્યને લાભ થાય નહિ, તેમ ધર્મદત્ત સિંચી સિંચીને વિષણું ચિત્તવાળો થયે છતાં પણ યવને અંકુર માત્ર પણ ન ફૂટ્યા. જેમ જડને બોધિનો લાભ ન થાય, તેમ ધર્મદત્તની મહેનત સર્વ વ્યર્થ ગઈ. જ્યારે ફળ તે દૂર રહ્યું પણ અંકુરા પણ ન પ્રગટ થયા, તે વારે રાજાની આગળ તે ધીઠ ગંગદત્ત ટચાકા ફોડતા ત્યા– વાહ ! શું આશ્ચર્ય ! શું સત્ય પ્રતિજ્ઞતા ! અહો શું કળાનું કૈશલ્ય! શી ભાઈની વિવેકતા ! હે પ્રજાપાલ રાજ! હવે આ શ્રેષ્ઠીપુત્ર પાસેથી સરત પ્રમાણે મારે લેવાયેગ્ય હોય તે તમે અપાવે; કારણકે અમારા બન્નેના સાક્ષી આપ તેિજ છે.” ગંગદત્તનાં આવાં વચન સાંભળીને રાજા બેલ્યો. “ધર્મદત્ત ! તમારા બન્નેની સરતમાં મધ્યાન્હ સમય થયે છતાં તમારી સરત પૂર્ણ થઈ નહિ ને તમે હારી ગયા છે, તે તમારી સરતનું હવે પાલન કરે. કદાચ સ્વતઃ એ પિતાની મેળે આપેલું લઈને સંતોષ પામશે, તે ઔષધ વિના વ્યાધિનો નાશ થઈ જશે.” - રાજાનું વચન સાંભળીને શ્રેષ્ઠાપુત્ર બલ્ય-“આપને આદેશ મારે પ્રમાણ છે. પછી ગંગદત્ત તેના ઘર તરફ ચાલ્યું. શ્રેષ્ઠોસુત મનમાં મુંઝાયેલ હોવાથી વરરૂચિનું વચન યાદ કરતાં તેના ઘર તરફ ગયે, ને યવની વાર્તા જેવી હતી તેવી તેને કહી સંભળાવી ને આંખમાંથી મોટાં મોટાં અશ્રુ પાડતો દુઃખી થયે. તેની અથથી ઇતિ પર્યત વાત સાંભળીને વરરૂચિ છે. વત્સ! સો વર્ષ વહી જાય તે પણ સર્વજ્ઞનાં વચનની માફક
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy