SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલ અને તેનું પરિણામ ૩૫ શેભતા ધમ્મિલને પિતાને મહેલે તેડાવી બહુમાન આપ્યું અને રેગથી પીડા પામતી પોતાની કન્યા બતાવી. - તે કન્યાને ઈરેગનું કારણ તપાસીને ધમ્બિલે કહ્યું-“રાજન ! આ રોગને હું દૂર કરી શકીશ. પાણી જેમ અગ્નિને શાંત કરે છે તેમ હું પણ એને રેગ મટાડી દઈશ.” પછી એક શુભ દિવસે કન્યાના રોગની ચિકિત્સા કરવી એણે શરૂ કરી. જેમ વિદ્યા મંત્રથી સપનું વિષ ધીમેધીમે નાશ પામે છે, તેમ એને રોગ–શેક, સંતાપ અનુક્રમે ક્ષય થતો થતો બીલકુલ નાબુદ થઈ ગયે. એટલે સમ્યક્ કળા જાણનાર ધમિલને હારલતાની માફક પારિતોષિકમાં એ પદ્માવતી જ રાજાએ આપી દીધી. શુભ દિવસ જેઈ બન્નેનાં મહત્સવ પૂર્વક લગ્ન થયાં. રાજાએ એ યુગલને વસવાને જુદું વાસભુવન આપ્યું. ત્યાં ધમ્મિલ પદ્માવતી સાથે રહેતા પંચવિષય સુખ જોગવતો સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. પુણ્યવંત માણસ જ્યાં જાય ત્યાં પદે પદે નિધાન પ્રાપ્ત કરે છે અને મનગમતા વૈભવ મેળવી ઠકુરાઈ ભોગવે છે.” એક દિવસે રાજાએ ધમિલને કહ્યું-“હે ઉત્તમ ! ચંપાપતિ મારા વડીલ સહોદર થાય છે; છતાં અમારા બંને વચ્ચે આજ ઘણાં વર્ષો થયાં કલેશ ચાલ્યા કરે છે. પણ એ કઈ પુરૂષ હું જેતે નથી કે એ બંધુ સાથે મને સંધી કરાવી દે. જગતમાં મિત્રતાને તોડનારા, પ્રીતિને ભેદનારા તે ઘણું છે, તેમજ પ્રીતિ કરનારા પણ અધિક જેવાય છે, પણ તુટેલી પ્રીતિને સાંધનારા જ તે જગતમાં વિરલાજ હોય છે, છતાં તમે જે પ્રયત્ન કરો તો સંધી થઈ શકે. તમારા સિવાય કોઈ પણ એ તુટેલા તાર સાંધવાને સમર્થ થાય તેમ નથી. સ્વભાવથકી. ભિન્ન એવા વસ્ત્રના બે ટુકડા જેમ કેઈ કલાવિંદ ગુંથીને એક કરી શકે તેમ હે ગુણવાન ! અમારે ભિન્ન સંબંધ સાંધવાને તમેજ એક શકિતવાનું લાગો છે!” - ધમ્બિલે કહ્યું-“રાજન ! મને આજ્ઞા કરો કે તમારું સંધીકાર્ય હું યોગ્ય રીતે પરિપૂર્ણ કરૂં.” રાજાએ એ સધીનું બીડું સ્મિલને આપ્યું, મિલે તે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy