SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મેિલ કુમાર, ... એ તો લોકપ્રવાહ છે તેથી જેને જેમ ફાવે તેમ આ સમયે બધા બોલતા હતા. કુમારે ખેદ પામી કહ્યું—“ હે તાત ! કયા દુષ્ટ પુરૂષે તમારી આવી સ્થિતિ કરી? આપ શિધ્ર કહે, હું એને સખ્તમાં સખ્ત શિક્ષા કરીશ.” ગુણસાગર કુમારને આ પ્રમાણેને કેપ જોઈને રાજાએ એને ગુસ્સો શાંત પાડ્યો ને કહ્યું—“પુત્ર ! તત્વને જાણ્યા વગર તું નાહક ક્રોધ કરીશ નહિં. આ બધું એ શ્રેણીની પ્રિયાનું ચરિત્ર છે.” રાજાએ પછી સભા વિસર્જન કરી અને સર્વે લોકોને રજા આપી.. પછી સ્નાન કરી ભેજનકાર્યથી પરવારી રાજા અમૂલ્ય વસ્ત્રાભરણ સજીને સિંહાસનારૂઢ થયે. પુરહિત, તળારક્ષક અને મંત્રીને પણ સ્નાન વગેરે કરાવીને સભામાં બોલાવી બેસાડ્યા ને તરત જ રાજાએ શીલવતીને પાલખી મોકલીને સભામાં બોલાવી. શીલવતી રાજસભામાં આવી એટલે રાજાએ સિંહાસન ઉપરથી ઉઠીને કુળદેવીની માફક તેને પ્રણામ કરી અંજલી જેડી એની સ્તુતિ કરી પછી કહ્યું – “શીલવતી! તું સાચે સાચી શીલવતીજ છે. દરેક નારીઓમાં તું રત્નસમાન છો. હે મહાસતી ! તું ખરે વંદનને ચગ્ય છે કે જેણે વિકટ સંકટમાં પણ પિતાને નિશ્ચય યથાર્થ પરિપાલન કર્યો. રણસંગ્રામમાં વીરપુરૂષે પણ મને જીતવાને સમર્થ થયા નહિં પણ તે એક સ્ત્રી જાતિ છતાં મારે પરાજય કર્યો. તારા જેવા મહાસતીના શ્રાપથી મટી સલતનત પણ ખચીત નાશ પામી જાય છે, જેથી તારે મારી ઉપર માટે પ્રાસાદ થયે કે મને તે જીવતે રહેવા દીધે. ગુરૂની માફક તારી શિક્ષા જીવતાં લગી અમે ભૂલશું નહિ. જગતમાં વિદ્વાન, ગુણવાન અને ગંભીર માણસો પણ આવી ભૂલ કરે છે તે પ્રાયઃ પૂર્વ કર્મને દોષ જ સમજે. પ્રાય: કરીને બીજાને ઉપદેશ કરવામાં માણસો ઘણું શ્રા અને પંડિત હોય છે; પણ પોતેજ એ ઉપદેશને ઉપયોગ કરે એવા તે કેઈકજ હોય છે. લાખે ભવમાં સુખ કરનારા શિયલને ક્ષણ સુખને દેનારા ' વિષયે માટે કેણ વિચક્ષણ પુરૂષ નાશ કરે? કેટીજને પણ દુર્લભ એવા ચિંતામણિ રત્ન સમાન શીલને પંડિત પુરૂએ રતિસુખની લાલચથી દુષિત ન કરવું જોઈએ છે .
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy