SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાની વાટે. તક મળશે તે હું ઉપયોગ કરીશ. પછી તો એવું તારું ભાગ્ય !” ધાવમાતાએ દિલાસે આવે. મારૂ નશીબ છે ને તમારી મહેનત છે. પરિણામ તે દેવાધિન છે; પણ ઉદ્યમ મનુષ્યને આધિન છે. તમે મહેનત કરજે.” કુમારે કહ્યું. તે માટે તારે નિઃશંક રહેવું, પણ વત્સ ! તારૂં વૃત્તાંત શું છે તે અમને કહી સંભળાવ!” કમલાના જવાબમાં ધમ્મિલે પિતાનું વૃત્તાંત ટુંકાણમાં એને કહી સંભળાવ્યું. “વત્સ! તારે ને અમારે સમાગમ ભાગ્યયેગે જ થયે છે. દેવની એમાં કાંઈ જુદી જ મરજી હશે; માટે તું પણ ખેદ કરે છેડી દે. વિધિની મરજી હશે તે થશે. આજથી તારે હવે આ બાળા તરફ એવી વર્તણૂક રાખવી કે જેથી એ પ્રસન્ન થાય. બોલવામાં-ચાલવામાં તેનું દિલ આકર્ષાય.” માતા ! આજથી તમારા કહેવા પ્રમાણે હું વતીશ. પણ શુભકર્મની પરિણતિની માફક તમે જે પ્રસન્ન હશે તે મારા સકળ મને રથ સિદ્ધ થશે.” કુમારે કહ્યું. અને અન્ય એક બીજા એ પ્રમાણે વાર્તાલાપ કરતાં યથાસમયે નિદ્રાવશ થયાં. પ્રાત:કાળનો સમય થતાં ગ્રામ્યધણીની રજા લઈને તેમને આગ્રહ છતાં એ પરદેશી મેમાને ચંપાને રસ્તે રથ જોડીને માર્ગે પડ્યા. પ્રકરણ ૫૦ મું. “ચંપાની વાટે.” ચંપાનગરીને માર્ગે જતાં અનુક્રમે તેમણે ભયંકર અરણ્યમાં પ્રવેશ કર્યો. વ્યાઘ, સિંહ, દીપડાઓની જ્યાં ગર્જનાઓ સંભળાતી હતી. મણિધર નિર્ભયપણે પિતાનું જ ઘર માનીને જંગલમાં ડેલી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy