SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઘગ્નિલકુમાસાગરદર ધડકતે હૈયે પૂછયું “ પ્રિયાએ કરી યુક્ત મારે પુત્ર કયાં છે?” સાગરદત્તનાં વચન સાંભળીને આંખમાં આંસુ ખેરવતા તેઓ મનપણે ઉભા રહ્યા. શ્રેષ્ઠીએ ફરીને ધડકતે હૈયે કહ્યું. “સમુદ્રને કુશળ તો છે ના ?” ઉત્સુક્તાથી વારંવાર પૂછાતા સમુદ્રના પિતાને તેમણે સર્વ હકીક્ત કહી સંભળાવી. શ્રેષ્ઠી અફસ કરતે બે કે –“હા ! હા ! આ તો વ્યાજને લાભ લેવા જતાં મૂળ રકમ પણ બેઈ બેઠે.” સર્વે કુટુંબીજન માતાપિતા વગેરે દુઃખી થયાં, ને મિત્રો રડતે હૈયે પિતાને ઘેર ગયા. દુઃખ ધરતે સાગરદત્ત ગિરિનગરમાં આવ્યું, ત્યાં ધનસાર્થવાહને મળીને દેશ પરદેશ રાજમારફતે માણસો દ્વારા તપાસ કરાવી, પોતે બને જણું ગ્રામાનુગ્રામ ફર્યા, પણ સમુદ્રની શુદ્ધિ મળી નહિ. વિલખા થયેલા તેઓ પાછા ગિરિદુર્ગમાં ગયા. પુત્રની આશામાં કેટલાક દિવસ શેઠ ત્યાં રહ્યા, આખરે સાર્થવાહને કેટલીક ભલામણ કરીને શેઠ રડતે હૃદયે ઉજયિની ચાલ્યા ગયા. પિંજરમાંથી મુકત થયેલા પક્ષીની માફક સમુદ્રને ગિરિનગરમાંથી નીકળીને દેશપરદેશ સંન્યાસીના વેશમાં ફરતાં ફરતાં બાર વર્ષ વહી ગયાં. બાર વર્ષ પછી પોતાની પ્રિયાનું વૃત્તાંત જાણવાને માટે તે પાછો ગિરિદુર્ગમાં આવી લાંબા કેશ નખવાળે કાપડીને વેશ ધારણ કરીને ધનસાર્થવાહના બાગમાં આવી શેઠને મળે. અને કહ્યું કે-“આપના બાગમાં આ સર્વ વૃક્ષોની હું સંભાળ રાખીને ઉછેરીશ, આપ મને નોકર તરીકે રાખશો?’ કેઈ નવીન પ્રવાસીને જોઈને શેઠ વિચારમાં પડ્યા. “ઓળખ્યા પારખ્યા વગર કોઈને નોકરીમાં કેમ રાખવો? છતાં બગીચાની રખવાળી ભલે કરે, અલ્પ સમયમાં જણાઈ આવશે કે તે ગ્ય છે કે અયોગ્ય?” એમ વિચારી શેઠે કહ્યું–“તું શું શું કામ જાણે છે?”
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy