SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ભતા સ્ટેટ. ૧૬૭ મંદિરે ગયા. મંદિરના અતર ભાગમાં ચેારા છુપાયેલા હતા તેમનાં વિવેચક્ષુ ઉઘડી ગયાં. તેમણે નક્કી કર્યુ કે–હવે અમારે ઘરે જવું નહિ, સંસારના બંધનમાંથી મહા પ્રયાસે મુકત થયા છતાં કાણુ બેવકુફ્ ફીને તે બંધનમાં પડવા ચાહે? આજે અમારાં વિવેકચક્ષુ વેરાગ્યરૂપ અજનવડે કરીને ખુલ્યાં છે. જો કે ઘેરથી તેા અમે માતાની આજ્ઞાથી ભ્રાતાનું વેર લેવાને પ્રતિજ્ઞા કરીને નીકળ્યા છીએ, પણ આ મરેલાના મારવાથી શું ? જગતમાં પ્રાણીએ બાહ્ય શત્રુઓને જીતવાને માટે ધરતીનાં પડ ફાડી નાખે છે પણ તેમ કરવા જતાં અંત ત્રુ–કામ ક્રોધ આદિ તેના સર્વસ્વના નાશ કરે છે, તે મૂઢ જીવા જાણી શકતા નથી. દુનિયામાં બાંધવાઢિ કુટુંબ એ બંધન, યુવતીએ દોષનું સ્થાન, ને વિષયા ઝેરથી ભરેલાં છે. એવું જાણતાં છતાં પણ જીવા પેાતાના આમહિતના કાર્યથી પરાસ્મુખ થાય છે. અરે ! પાપથી બંધાયેલા આત્મામરણ પછી નરકરૂપ અંધકારમય કુવામાં પડતાં એ પ્રેમના ધામરૂપ વિનતા નથી ખચાવી શકતી, જેને માટે અનેક અનાચારા—દુરાચારી સેવ્યા છે એવી લક્ષ્મી ત્યાં આધારરૂપ નથી થતી, કે દીકરાઓ ત્યાં આવીને લાંચ આપી છેડાવી શકતા નથી.” આ પ્રમાણે સંસારથકી વૈરાગ્ય પામીને વિષવલ્લીની માફક પક્ષીને ત્યાગ કરી તે છ એ જણા પ્રભાત થતાં ત્યાંથી કાઇ પણ તીર્થસ્થાન પ્રાપ્ત કરીને પાપના નાશ કરવાના હેતુએ ચાલ્યા. તેમને અમે જોયા. અમારા ઉપદેશ સાંભળી તેમણે અમારી પાસે દીક્ષા લીધી; કેમકે સમુદ્રમાં રહેલ ચિંતામણિ તેા ભાગ્યશાળીજ મેળવી શકે છે. એમના નામ, દઢધર્મ, ધર્મ ચિ, ધર્મદાસ, સુવ્રત, દૃઢવ્રત ને ધર્મપ્રિય-અનુક્રમે રાખેલાં છે. દીક્ષા લીધા પછી અમારી સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા અને વૈરાગ્યથી તપ તપવામાંજ પેાતાનું જીવન વ્યતિત કરવા લાગ્યા, તેમજ આત્મતિમાંજ તત્પર રહેવા લાગ્યા. હું મહાનુભાગ ! આ પ્રમાણે તમના વૈરાગ્યનું કારણ છે. ને "" અગડદત્ત એ પ્રમાણે સાંભળીને સંસારથી ખેદ પામ્યા ને તે છ જણને કહેવા લાગ્યા- ભગવન્ ! તે તમારા અધુના વધ કરનાર જ હતા, મારી પત્નીનું એ દુશ્ર્ચરિત્ર ભગવંતના મુખથકી સાં ભળી જેમ ઝવેરીના સુખથી ગામડીએ ખાટા મણુિની કૃત્રિમતા સમજે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy