SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૪ મું. ભેદને ફેટ, માણસ કહે એ મેં કહ્યું, કરનારે છે કે, આદર્યા અધવચ રહે, વિધિ કરે સો હોય.” પૂર્વની ઘટના બન્યા પછી પાણીના રેલના માફક ઘણા વર્ષો વ્યતિત થયા. એક દિવસે યુવરાજ રાજસભામાં બેઠેલો હતો, અમીર ઉમરાવોને સરદારે પિતપોતાના આસને બિરાજેલા હતા, તે સમયે પ્રતિહારીએ યુવરાજને પ્રણામ કરી બે હાથ જોડીને અરજ કરી કે–“ યુવરાજ ! ઉત્તર દિશાએથી કેટલાક સેદાગર આવ્યા છે, જે પિતાની સાથે ઉત્તમ અશ્વરનો લાવેલા છે. તે આપ શ્રીમાનને મળવાની ઇચ્છાએ બહાર ઉભા છે. ” આવવા દે તેમને. ” યુવરાજે આજ્ઞા આપી. પ્રતિહારી ચાલતે થયે. અલ્પ સમયમાં તે સોદાગર વ્યાપારીઓ સભામાં આવ્યા, યુવરાજને પ્રણામ કરી સુખાસને બેઠા. તેમાંથી એક મુખ્ય સેદાગર બોલ્યો-“મહારાજ અમારી પાસે સુંદર લાક્ષણિક અનેક અ છે, તેમાં પણ એક અવ તે સર્વ લક્ષણે કરીને યુક્ત પવનની માફક ગતિ કરનારે છે, આપ શ્રીમાનને તે ખચીત જોવા યોગ્ય છે. લાખ ફાજમાં પણ એ ઘોડે શોભી ઉઠે એવો છે.” કયાં છે તમારા અક? યુવરાજે પૂછયું. “ શહેર બહાર અમારા ઉતારે આપ આવે, જુઓ અને એની પરીક્ષા કરે.” સોદાગરનાં વચન સાંભળીને કુંવર સુભટે સહિત ઉદ્યાનમાં નગર બહાર આવ્યું. એક એકથી વધે એવા અને જેઈ કુંવર વિસ્મય પામે. કેટલાકનાં રૂવાટાં સ્નિગ્ધ અને સુક્ષમ હતાં, કેટલાક વક કંધરાવાળા, તથા જેનું વક્ષ:સ્થળ સ્થલતાને પામેલું અને પેઠે લઘુ-પૂથ હતા. વળી કાન લઘુ અને પીઠ વિશાળ એવા, જંઘાબળે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy