SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ધમિલ કુમાર સરખે સરખા સાથે યુદ્ધ કરવા ચાહતા હોય તો આમ મારી સામે આવ. એક ભિક્ષાવૃત્તિ કરનારા યોગીને જીતવાથી તારે યશ શું ફેલાશે ? જે મારું આ ખર્શ તારે નાશ કરવા સમર્થ છે.” કુંવરનાં એવાં વચન સાંભળીને વૈતાળ બોલ્ય-“અરે બાળક ! તારી સાથે મારે શું બળ બતાવવું ! બીજાને માટે તું કષ્ટમાં ના પડ, ને રાજપાટ જોગવીને તારો મનુષ્યજા તું સફળ કર.” હે વૈતાળ ! તું બાળક જાણુને મારી ઉપેક્ષા ન કર. નાનું સરખું સિંહનું બાળક શું પ્રઢ એવા હાથીઓનાં મસ્તકને નથી ફાડતું ? નાનું સરખે દીપકને પ્રકાશ વિશાળ એવા અંધકારને નથી દૂર કરતો? સ્વલ્પ માત્ર વા મોટા પર્વતને શું નથી તેડતું ? માટે નાના મોટાને તફાવત એ શું કામ છે? જગતમાં સત્વ એ જ એક મુખ્ય છે. જે પારકાને સ્વાર્થ તેજ મારો સ્વાર્થ. સજજન પુરૂષોને એથી અધિક બીજે શું સ્વાર્થ હોય ? કેમકે જગતમાં પરજનના ઉપકાર વગર મેઘને બીજું શું સ્વાર્થ છે? એમ મહાપુરૂષોને પુરૂષાર્થ અનાથનું રક્ષણ કરવામાં સફળ થાય છે. બીજાને ઉપકાર થાય અને પોતાને પુણ્ય પ્રાત-યશ પ્રાપ્તિ થાય એથી અધિક બીજું કયું ફળ હોય ?” કુમારની એ પ્રમાણેની વાણી સાંભળીને વિસ્મય પામેલ એ ક્રૂર વૈતાળ નટની માફક પોતાના દુષ્ટ વેશને ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરતો મધુર સ્વરે બે“હે ધીર! તારા સત્ત્વથી હું પ્રસન્ન થયો છું; માટે કંઈક વર માગ.” હે દેવ! જે તમે પ્રસન્ન થયા હો તે આ ગીનું ઈચ્છિત સફળ થાઓ ! ” કુમારે એ દિવ્ય વેશધારી દેવને કહ્યું. કુમાર ! એની મંત્રસિદ્ધિ તે સિદ્ધ થઈ જ છે એમ સ મજ, પણ તું મારી પાસેથી કાંઈક માગ ! કેમકે દેવદર્શન અમેઘ હોય છે.” દેવતાએ કહ્યું. જે એમ છે તે આપ જ્ઞાનથી મને કહો કે મારી પ્રિયા વનવાળીને મારી ઉપર સ્નેહવાળી છતાં ક્યા કારણે તે શિયળ પાળે છે.” દેવતાએ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ કુમારને સમજાવતાં કહ્યું-“કુમાર ! પ્રભાતનો સમય થવા આવ્યો છે અને દિવસે દેવતાઓ પ્રાય,
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy