SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ ] પ્રવકતથા વૈમતાના સ્મા- [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૮/૫૫ છે. વિવિક્તસેવી એટલે પિતાને મન માને તે સ્થળે વિહાર કરનારે અથવા એકાંત સેવનારે, પેટમાં જગા હેય તેનાથી અર્ધો ભાગ ખાનાર અને ચતુર્થી ભાગ પાણી પીનારે લવાશી અથવા મિતાહારી કહેવાય છે. વાણી, કાયા અને મન જેણે ક્યાં છે એવો એટલે કાયિક, વાચિક અને માનસિક થતાં તમામ કર્મો આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના વૈરાગ્યના આશ્રય વડે નિરંતર આત્મધ્યાનરૂપ યોગમાં જ પરાયણ થઈ રહેનારે એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થાય કે તરત જ તે આત્મરૂપ છે એવા પ્રકારે તેને દાબી દેવા૫ આત્મધ્યાનમાં સ્થિર રહેનારો બ્રહ્મસાક્ષાત્કારને યોગ્ય થાય છે, अहङ्कारं बलं दर्ष काम क्रोध परिग्रहम् । विमुच्य निर्भमः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥५३॥ તે જ બ્રાહાપ્રાપ્તિને યોગ્ય છે. અહંકાર અર્થાત “દે એટલે જ હું” એવા પ્રકારે અભિમાન વડે કુલ, વિદ્યા, ધન ઈત્યાદિને ગર્વ છે તે: “ મોટો બળવાન છું, મારા જેવો બીજો બળવાન કેણુ છે?” એવા પ્રકારનું બળ; હર્ષાદિ ઉન્માદ થવાને લીધે તેના પાશમાં સપડાઈને ધર્મનું ભાન ભૂલી જઈ ગમે તે અધર્મ કરી બેસ , તે પક વિષયોના સેવનને માટે જ અહર્નિશ તત્પર થઈ પ્રયત્ન કરે તે કામ: વિષપભેગની ઈચ્છા પૂર્ણ નહિ થવાથી વ્યાકુળતા થવાને લીધે દ્વેષબુદ્ધિ ઉપન્ન થવા તે કોધ તથા પરિગ્રહ એટલે અહેમમાદિ ભાવ વડે સંગ્રાહક વૃત્તિ રાખવી. આ સર્વને જેણે પરિત્યાગ કર્યો છે, એટલે અહંકાર, બળ, દઉં, કામ, ક્રોધ, પરિગ્રહ ઇત્યાદિ તમામને જેણે પરિત્યાગ કર્યો છે અર્થાત જેમાં આને અંશ પણ નથી તેવો તદ્દન મમતારહિત અને શાંત એવો પુરુષ જ બ્રહ્મપ્રાપ્તિ કિવા બ્રહ્મસાક્ષાત્કારને માટે ગ્ય થાય છે. હવે આ રીતે બ્રહ્મસ્વરૂપ બનેલા જીવન્ત યોગીનાં લક્ષણે કહું છું. Fામુત: કરણારણા શોતિ ન ફ્રાતિ. समः सर्वेषु भूतेषु मुमति लभते पराम् ॥५४॥ મારી પરાભક્તિની પ્રાપ્તિ હે ભારત ! બ્રહ્મની સાથે એકરૂપ થયેલું છે એ બ્રહ્મભૂત અને હંમેશાં આત્મસ્વરૂપમાં જ પ્રસન્ન રહેનાર પ્રસન્નાભા, કશાને શોક પણ કરતું નથી અથવા કશાને ઇચ્છતો પણ નથી. જે સર્વ ભૂતમાં સમપણે જ રહેલો છે તે જ આત્મસ્વરૂપ એવા મારી (કક્ષાંક ૧)ની પરાભક્તિને પામે છે. સારાંશ એ કે, આ અહેમમાદિ સર્વ દશ્યજાળ તેના સાક્ષી (વૃક્ષાંક ૨ થી ૧૫ ૧) સહ મારું “ અપર' સ્વરૂપ હાઈ તેથી પર એવું જે અનિર્વચનીય તત કિંવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) એ મારું ( ૫ર સ્વરૂપ છે, તથા જે આ બ્રહ્મરૂપ એવા મારા આત્મ કિંતે બ્રહ્મ સ્વરૂ૫ની સાથે તદ્દન તદ્રુપ બની ગયેલ હોય છે, તે કદી શેક પણ કરતા નથી અને કાંઈ ઇચ્છતું પણ નથી. સર્વભૂતેમાં આ સર્વ આત્મરૂપ છે અને તે આત્મા હું પિતે જ છે એમ જે પોતે તે ભૂત અને જે ભૂતે તે પોતે છે; આ પ્રમાણે જેને સર્વ દશ્યમાત્ર પ્રત્યે સમદ્ધિ થયેલી છે, તે જ આત્મસ્વરૂપ એવાં મારી પરાભક્તિને પ્રાપ્ત કરી શકે છે. સારાંશ, જયાં સુધી તે આત્મસ્વરૂપ એવા મારી સાથે તદ્રુપતાને પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી તેને મારા “તત '૨૫ એવા પર સ્વરૂપની પ્રાપ્તિ કદી પણ થતી નથી.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy