SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ર ] તટુ નાતિ કથન ઉતરે તત્ છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ૧૮/૩૪ એ જ એક પ્રમાણુ હોવાથી સર્વ વાદીઓની તિપિતાની બુદ્ધિ અનુસાર તે વડે પ્રચલિત થયેલી તર્કવિતારૂપ મિયા મનની શક્તિસમી આ અમિત માન્યતાને તત્ત્વજ્ઞો કદી પણ પ્રમાણુ ગણતા નથી. આથી તમામ વાદીઓના મનમાં જે નામરપાદિ ભેદે છે તે કેવળ અજ્ઞાન વડે થયેલી ભ્રાંતિરૂપ હેવાથી નિરર્થક જ છે; છતાં પણ વાસ્તવિક રીતે જેમ કઈ વસ્તુને તેના સાચા નામ વડે નહિ ઓળખતાં જુદાં જુદાં નામ વડે ઓળખવામાં આવે તેથી તે વસ્તુમાં કઈ ફેરફાર થવા પામતો નથી, તે તે જેમનો તેમ જ હોય છે, એટલે જેમ કે અજ્ઞાની બાળક પુસ્તકને જ રમકડું કહે તેનો અર્થ રમકડું એ પુસ્તકનું જ બીજું નામ કિતા સંજ્ઞા ગણાય, કેમ કે તેને રમકડું કહેવાથી તે પુસ્તક મટી રમકડું થઈ જતું નથી. તે તો જેમનું તેમ જ હોય છે. એટલે પુસ્તકનું જ રમકડું એવું વિવર્તરૂપ બીજું નામ કહેવાય તેમ ચૈતન્યરૂપ એવા એક આત્મતત્વને જ અનેક મત વાળા વાડીઓ અજ્ઞાન વડે ગમે તેવી સંજ્ઞાઓ આપે છે. છતાં તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થવા પામતું નથી. આ રીતે વિચાર કરતાં સર્વ વાદીઓની એકવાકયતા જ સિદ્ધ થાય છે. સારાંશ કે, મેં તને કર્તાકર્માદિ સંબંધ જ્ઞાનીઓની દષ્ટિએ અભેદતા કેવી રીતે છે તે સમજાવ્યું તથા અજ્ઞાની એની દૃષ્ટિએ તેમાં ત્રણ ગુ વડે . ત્રણ ત્રણ ભેદ કેવી રીતે પડે છે તે સાંખ્ય (વેદાન) શાસ્ત્રાનુસાર સમજાવ્યું. હવે આ અજ્ઞાનીઓની દૃષ્ટિએ બુદ્ધિ, ધૃતિ અને સુખ ઇત્યાદિ ગુણો વડે પડતા ત્રણ ત્રણ ભેદ વિસ્તારથી કહું છું તે સાંભળ. बुद्धभेद धृतेश्चैव गुणतत्रिविधं शृणु। प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ॥ २९ ॥ પ્રકૃતિ વડે બુદ્ધિ અને ધૃતિમાં પણ ત્રણ ત્રણ ભેર પડે છે હે ધનંજય! બુદ્ધિ અને વૃતિ ધારણા) કિંવા વૈર્યમાં પણ ગુણે વડે ત્રણ ત્રણ પ્રકારના ભેદ પડે છે. તે બધા તને કહું છું તે સાંભળ. એટલે જેમ કર્તા, કર્મ શાન યાદિ દરેકમાં પ્રકૃતિના ત્રણ ગોવશાત ત્રણ ભેદ જોવામાં આવે છે તેમ બુદ્ધિ એટલે જે વડે નિશ્ચયો થાય છે તે નિશ્રામાં તથા ધૃતિ એટલે ધારણ કિયા ધિય અર્થાત નિશ્ચય થયા પછી તેનું ધારણ કરવું, અથવા કરેલા નિશ્ચયમાં સ્થિતિ કરવી, તેમાં પણ પ્રકૃતિના ત્રણ ગુણે વડે ત્રણ ત્રણ ભેદો જ પડે છે, તે સઘળા જુદા જુદા કહું છું. प्रवृत्तिं च निवृत्ति व कार्याकार्य भयाभये । बन्ध मोक्षं च या वेति बुद्धिः सा पार्थ सात्विको ॥ ३० ॥ સારિતકી બુદ્ધિ હે પાર્થ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને આકાય, ભય અને અભય તથા બંધ અને મેક્ષને જાણે છે તે સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. તાત્પર્ય કે, પ્રવૃત્તિ કેને કહેવી અને નિવૃત્તિ કેને કહેવી ? (પ્રવૃત્તિ નિવૃત્તિ માટે અધ્યાય ૮ ૦ ૨૫-૨૬ પૃષ્ઠ ૪૬૨/૪૬૩ જુએ) કાર્ય કર્યું અને અકાર્ય કર્યું (કર્મ, અકર્મ, વિકર્મ સંબંધે અ૦ ૨ ૦ ૪૨ થી ૪૪ અને ૪૭ તથા અ૦ કલેક ૧૬ થી ૧૮) ભય અને અભય કેને કહે છે ?' બંધ અને મોક્ષ એટલે શું? તેને સારાસાર વિવેક જે જાણે છે, તેવી બુદ્ધિ સાવકી જાણવી. ૧ બીજો કોઈ છે એમ સમજવું તે જ ભય કહેવાય તથા આ સર્વ અત એવા એક રૂપ જ છે એમ નણવું તે અભય કહેવાય છે. અર્થાત્ આત્મામાં હું એમ જણવું તે આત્મદષ્ટિએ બીજે થયું અને તે ને વિલય કરી પરમપમાં સ્થિતિ કરવી તેનું નામ જ અભય સમજે. ૧ ૬ શરીરાદિ દાયરૂપ છું એમ નણવું તે બંધ તથા હું આત્મા છે, મારામાં દયયાદિને અંશ પણ નથી મમ “ને વિલય કરીને અપરાક્ષ સાક્ષાત્કાર કરે તે જ મોક્ષ કહેવાય.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy