SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪] ત વ ત સ થ gd 17 . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૭/૧૦ એવું અન્ન તામસી જનેને પ્રિય હોય છે. રાજસ અને તામસ આહારે આધિવ્યાધિ ઉત્પન્ન કરનારા હોવાથી શરીરમાં આધિ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થવા પામે છે તથા તેને નાશ કેવી રીતે થાય છે, તે સંબંધે અત્રે થોડો વિચાર કરવો આવશ્યક છે. આધિ વ્યાધિનું મૂળ કારણ આધિ અને વ્યાધિ એ બંને દુઃખનું કારણ છે, ઔષધ કરવાથી તે તેટલા પૂરતું સુખ મળે છે પરંતુ જ્ઞાન વડે તે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે, એટલે ફરી કદી દુઃખ ઉત્પન્ન થવા પામતું નથી તેથી તે મોક્ષ કહેવાય છે. આ આધિ અને વ્યાધિઓ બંને કેાઈવખતે એક બીજાના નિમિત્તરૂપ થઈને શરીરમાં એક પછી એક એમ ક્રમે કરીને ઉત્પન્ન થવા પામે છે. કેઈ સમયે બંને એક સાથે જ પેદા થાય છે તો કોઈ સમયે એકના શમન પછી બીજો એ ક્રમે થવા પામે છે. સંબંધી જે કાંઈ દુઃખ છે તે વ્યાધિ તથા વાસના વડે થનારી માનસિક વ્યથા તે આધિ એવા નામથી કહેવાય છે. એ બંનેનું વાસ્તવિક (ખ) મૂળ તપાસતાં અજ્ઞાન જ છે એમ જણાઈ આવે છે અને તેને સંપૂર્ણ નાશ તે તત્વજ્ઞાન વડે જ થઈ શકે છે. આત્માની અજ્ઞાનતાને લીધે અને પિતાની ઇંદ્રિયાને સંયમ નહિ થવાને લીધે ચિત્તમાં સ્વચ્છતા રાખનારા સમભાવને છેડી દઈ રાતદિવસ રાગદ્વેષમાં રંધાઈ જઈ આ મળ્યું અને આ ન મળ્યું એની ચિંતાઓથી ગાઢ અંધકારરૂપ મહામહને આપનારી આધિઓ વર્ષાઋતુમાં ઉત્પન્ન થતી ઝાકળની પેઠે કેવળ આત્માના અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે, આધિ વ્યાધિ ઉત્પન્ન થવાનાં કારણેની ચિકિત્સા અજ્ઞાનને લીધે મનમાં અનેક પ્રકારના વિષયોની ઈચ્છાઓ કુરવાથી, ચિત્ત ન જીતવાથી, દુષ્ટ અન્ન ખાવામાં આવવાથી, સ્મશાનાદિ અશુભ ગણુતાં રથળામાં ફરવાથી, સાયંકાલાદિ અથવા ગ્રહણાદિ જેવા કવખત અને અનિયમિત ભોજન કરવાથી, મૈથુનાદિ વ્યવહારથી, દુષ્ટ કર્મોનું નિત્યપ્રતિ ચિત્તમાં ચિંતન કરવાથી દુર્જનના સંગદોષથી, વિષ, સર્પ, વ્યાધ્ર તથા ભૂતાદિની શંકાઓ આવવાથી, ભૂત, પ્રેત પિશાચાદિના ભયથી, વિષપભોગો ભોગવવાથી વસ્ત્રથી, કોઈના અશુભ સંસર્ગથી, ચેપી રોગવાળાના સંગથી કાંઈ સારું નરસું જેવાથી, કેઈક પદાર્થને સ્પર્શથી કાળના અને સ્થળના વિશેષપણાને લીધે, હથો વધુ પ્રમાણમાં પરિશ્રમ કરવાથી, અનેક પ્રકારની ચિંતાઓને લીધે, શરીરમાં નાડીઓનાં છિદ્રોમાં અન્નને રસ સારી રીતે જઈ નહિ શકવાને લીધે કિંવા ક્ષિણ થઈ ગઈ હોય એવી નાડીઓને જરૂર કરતાં વધુ રસ મળવ આહારથી અને બિલકુલ આહાર નહિ લેવાથી, વધારે પડતા રસાદિથી નાડીઓ પૂર્ણ થઈ જવાને લીધે રકતાભિસરણની ક્રિયા બરાબર નહિ ચાલવાથી, કફ, પિત્ત કિંવા, વાત દેવથી, પ્રાણુ આકુળ વ્યાકુળ થઈ શરીરને અત્યંત વિકળ થઈ જવું ઇત્યાદિ દોષોની વૈષમ્ય અવસ્થાને લીધે પ્રથમતઃ અવ્યકતદશામાં આધિ વ્યાધિઓ શરીરમાં ઉત્પન્ન થવા પામે છે. આ અવ્યકત દશામાં ઉપન્ન થતા આ દોષોને નાશ થઈ શકતે નથી. આધિ વ્યાધિઓ વડે શરીરનો આકાર તદ્દન સૂકાઈને બદલાઈ જાય છે. પૂર્વ જનમની હો યા આ જન્મની હે, શુભ યા અશુભ હે, પરંતુ તે બે પૈકી જે બુદ્ધિ વધુ બળવાળા હોય છે તેવા આધિ વ્યાધિના કમ તરફ તે મનુષ્યને ઘસડી જાય છે. પંચમહાભૂત વડે બનેલા આ સાત ધાતુવાળા સ્થૂળ દેહમાં તથા પાંચ જ્ઞાનેન્દ્રિય, તેના પાંચ વિષયો, પાંચ શબ્દતન્માત્રા તથા મન ઇત્યાદિ વડે બનેલા સૂકમ દેહમાં એ રીતે આધિઓ અને વ્યાધિઓ ઉત્પન્ન થવા પામે છે. સ્થૂળ દેહમાં ઉત્પન્ન થનાર યાધિ અને સૂક્ષ્મ દેહમાં ઉત્પન્ન થનારે આધિ કહેવાય છે. વ્યાધિના પ્રકારે અને તેના નાશના રામબાણ ઉપાય વ્યાધિ બે પ્રકાર છે, એક સામાન્ય અને બીજે દાતર. ભૂખ, તરસ અને સ્ત્રી પુત્રાદિની ઇચ્છા વડે ઉત્પન થયેલ વ્યાધિ સામાન્ય ગણાય છે અને જન્મમરણાદિ વિકાર આપનાર, સમ દેહની વૃદ્ધિ કરનાર,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy