SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૮ ] માતં ના તારૂં – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૫/૭ ममैवा शो जीवलोके जीवभूतः सनातनः । मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कति ॥ ७ ॥ પ્રકૃતિમાં રહેલી ઇન્દ્રિને પાતામાં જ માની લે છે હે પાર્થ! આ પ્રમાણે આત્મરવરૂપ એવો મારો મમરૂપ સનાતન અંશ છવલોક મહાપ્રાણ (વૃક્ષાંક ૬) ૨૫ હોઈ છે. જેમાં મન છ છે એવી જીભતા પ્રકતિ (વૃક્ષાંક ૭થી ૧૫ શ )માં રહેલી ઇન્દ્રિયોને, આકર્ષે છે. ઉદ્દેશ એ કે, આ દશ્ય વ્યવહાર મિથ્યા “હું” અને મારું એવા બે પ્રકારના અધ્યાય વડે ખડો થવા પામેલો છે. તેમાં પ્રથમ “હું” હું” રૂપે મિથ્યા સ્કુરણ થવા પામેલું છે. આ હું રૂ૫ ફુરણના પ્રેરણા કરનારા તે ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા “હું” “હુ' એવા રફુરણરૂપે પ્રકટ થનારી અને ત્રણ ગુણોના ક્ષોભને પામનારી મારી માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય છે. આમ હુંની ઉત્પત્તિ થયા પછી મારું મારું, એવું અભિમાન ધારણ કરનારની ઉત્પત્તિ થયેલી હોઈ તે જ છવલોક કિંવા મહાપ્રાણું કહેવાય છે; એટલે મારું મારું, એવું કહેનારા તે જ જીવ (વૃક્ષાંક ૬) કહેવાય છે. તે તમામ લોકોમાં, માળામાં પરોવાયેલા મણકાની જેમ દેરીરૂપે રહેલો હોવાથી તેની અંતર્ગત રહેનાર (ક્ષાંક ૬થી ૧૫ ૫ સુધીના) સર્વ જીવલોક કહેવાય છે. તેમાં મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭), અહંકાર (વૃક્ષાંક ૮), તથા તેમાંથી પાંચ મહાભૂત; તેની શબ્દસ્પર્શાદિ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, તેનાં ગોલકે, તથા તેના વિષયો (જુઓ વૃક્ષાંક ૮ના પેટામાં; તેમ જ આ સર્વના અધિદેવતાઓ વગેરે અધિવ, અધ્યાત્મ અને અધિભૂત એ તમામ તેમ જ ચિત્ત (વૃક્ષાંક ૯), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦), અને મન g&ાંક ૧૧) ઇત્યાદિ સર્વનો સમાવેશ થાય છે. તેની ઉત્પત્તિ થયેલી હોઈ તે સર્વ ભૂતપ્રકૃતિ કહેવાય છે (વૃક્ષાંક થી ૧૨). આ પછી ધૂલસૃષ્ટિ (વૃક્ષાંક ૧૦થી૧૫ ૪)ની ઉત્પત્તિ થાય છે. આ ભૂતપ્રકૃતિની અંદર આવેલા સધળ પદાર્થોમાં મારું કહેનાર આ જીવ સૂત્રાત્મારૂપે માળામાંના મણકાની જેમ પરોવાયેલા હોય છે. તે જ મહાપ્રાણુરૂપ સૂત્રામાં જીવ (વૃક્ષાંક ૬) અનંત વાસનાઓાવશાત શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ધ્રાણુ એ પાંચ સુક્ષ્મ ઇકિયા, તેના વિષયો તથા શબ્દાદિ તન્માત્રાઓ તેમ જ મન એ તમામને પોતાના તરફ જ ખેંચે છે એટલે કે જાણે તે (જીવ) વિષયમાં ર પો રહી જન્મ, મરણ, જરા, આધિ, વ્યાધિ ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ લઈ રહ્યો હોય એમ જોવામાં આવે છે ખરું, પરંતુ વાસ્તવિક રીતે તો તે આત્મસ્વરૂપ એવો મારો જ અંશ છે એટલે તે મારાથી જુદો કેવી રીતે હોઈ શકે? વળી જે તે મારાથી જુદો નથી તે પછી તેનું કાર્ય પણ મારાથી ભિન્ન કયાંથી હોય? જેમ સુવર્ણ એ મારો પ્રથમ એટલે હું રૂપ એ અંશ સમજે. કેમ કે સુવણું પોતે પિતાને કાંઈ આ સુવર્ણ છે એમ કહેતું નથી પરંતુ તેમ કહેતા તે તેને સાક્ષી કિંવા દ્રષ્ટા બીજે જ કેાઈ હોય છે. તેમ આ હેને જાણનાર જે દ્રષ્ટા તે જ ઈશ્વર ફિવા સાક્ષી સમજ, આત્માને શું કહેવાની જરૂર તેમ આત્મા તો પિતે જાણતો પણ નથી કે મારામાં હું કરીને કાંઈ છે, છતાં આ બહુ રૂપ મિથ્યા ફુરણ જે ભાયમાન થતું હોય એમ પ્રતીત થાય છે તે આત્મવિરૂ૫ એવા મારો એક અંશ છે, એ એક અંશમાં જ આ સમસ્ત દસ્યજાળની (વૃક્ષાંક ૩ થી ૧૫ઇ સુધી) સ્થિતિ છે એમ સમજો. જેમ સુવર્ણ પોતાના રવરૂપથી ભિન્ન નથી, તેમ આ હું પણ વરતુતઃ તે મારાથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. તે હું સમરૂપે તેને દ્રષ્ટા ઈશ્વરની કાળરૂપ ઈક્ષણશકિત વડે ત્રણ ગુણેથી વિસ્તારને પામેલ છે પરંતુ જેમ સુવર્ણમાંથી દાગીના તૈયાર નહિ થાય ત્યાં સુધી તેનું ઘાટ ઘડવાનું કાર્ય અદશ્યરૂપે જ હોય છે, તેમ આ પ્રકૃતિના ગુણોને ક્ષોભ થઈ તે તમે અધ્યક્ત (વૃક્ષાંક ૪) તથા શિવશક્તિ કિંવા અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫) રૂપે સૂક્ષ્મ અને અકા ભાવવાળા જ હોય છે, ત્યાર પછી તે “મા”, એટલે મમ એવા દૈતભાવને પ્રાપ્ત થાય છે. જેમ દાગીને સમર થયો એટલે તે મારો છે એમ કહેનાર પણ હોય છે તેમ મારું એવો ભાવ થયો તે જ જીવ કહેવાય. આથી ભગવાને છે અને મારા એ બંને જુદા જુદા ભાવે બતાવવાના ઉદ્દેશથી હુમાંથી નહિ પરંતુ મમ એટલે મારું,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy