SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન યજ્ઞના અનંતપણાને લીધે તેથી પર રહેલ અયિત્વને પ્રાપ્ત કરી શકાતું નથી. [ ૭] એમ જ બધા બેઠો છે. અર્થાત બધામાં રહેલે આ બહુ તે કેવળ એકરૂપ જ છે, છતાં દરેક તે હું ને જુદો જુદો સમજી વિશ્વમાં અનેક મુખથી હું, હું' એમ કહીને તેને જ ભિન્ન ભિન્ન રૂપે ઉપાસે છે ખરા, પરંતુ વાસ્તવિક રીતે જ્ઞાનયજ્ઞ વડે અથત જ્ઞાનદષ્ટિથી વિચાર કરવામાં આવે તો તે પર્યાયે એકત્વ અથવા એકભાવ વડે સ્થિત એવા મારું એટલે તરૂપ હું ( ક્ષાંક ૧)નું જ યજન કરે છે. કારણ આ હું એટલે જ આત્મા છે. આ મુજબ એક રૂપની અથવા જુદા રૂપની અથવા તો અનેક રૂપોની કલ્પના કરીને જે જે કઈ કરવામાં આવે છે તે તવતઃ તતરૂપ એવા “હું (વેક્ષાંક ૧)ની જ ઉપાસના થાય છે એમ સમજવું. જેવી રીતે નદી, નાળાં, ખાબોચિયાં વગેરે તમામનું જળ અંતે તો એક સમુદ્રમાં જ એકત્ર થાય છે તેમ એકત્વ, પૃથકત્વ કિવા બહુરૂપવવડે જગતમાં જે જે કાંઈ કરવામાં આવે છે, તે તમામ વસ્તુતઃ આત્મરૂપ એવા હું વા મારાથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. અજ્ઞાને પાસના અથવા જ્ઞાને પાસના " સુવર્ણનાં કડાં, કુંડળ, બંગડી, વીંટી ઇત્યાદિ આભૂષણોનાં નામો અથવા વિશેષ ભાવો જેમ સામાન્યભાવ એવા સુવર્ણરૂપ જ છે, સામાન્ય(અધિકાન)ભાવ વિના વિશેષ ભાવનું અસ્તિત્વ કદી હેતું નથી તેમ તતરૂપ “હું' (વૃક્ષાંક ૧) એ સામાન્ય(અધિકાન) ભાવ હોઈ તે વિના દરેક મનુષ્ય પોતાને “હું, હું એમ જે કહે છે તેનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી. તાત્પર્ય એ કે, તતરૂપ “હું” (વૃક્ષાંક ૧) એ જ લાર્થથી પર હાઈ તવાઈ કિંવા ધ્યેયબિંદુ છે એમ ધ્યાનમાં રાખીને તેવા નિશ્ચયવડે કેવળ તેની જ અભિન્ન ભાવે ઉપાસના કરવામાં આવે તેને જ જ્ઞાનયજ્ઞ અથવા વધસરની ઉપાસના કહે છે તથા હું, તું, તે, આ, મારું, તારુ ઇત્યાદિ ભાવો વડે જે ઉપાસના કરવામાં આવે છે તેને ભિન્નરૂપ તથા અજ્ઞાનયુકત અથવા અવિધિસરની ઉપાસના એમ કહેવામાં આવે છે. કેઈપણ ઉપાસના પર્યાયે તે આત્માની જ ઉપાસના છે જેમ પ્રથમ દોરીમાં સ૫નો આભાસ થાય છે પણ જેમને દોરીનું સાચું ભાન થાય તે તો તેને દોરીરૂપે જ સમજે છે તેમ આત્માને આ આમાં છે, એ રીતે જ્ઞાન પરિપકવ થતાં સુધીના કાળમાં થતી ઉપાસના તે જ્ઞાનોપાસના સમજે, તથા જેઓ તે દોરીને સર્ષરૂપથી જ જુએ છે તે અજ્ઞાનોપાસના સમજવી. હવે દોરીને સપ કહેવાથી તે સર્ષ બની જતી નથી, તેમ સર્પ નથી પરંતુ દોરી છે એમ કહેવાથી કાંઈ પુનઃ દોરી બની ગઈ એમ પણ નથી. તેને સર્પ કહે યા દોરી કહે, તે તો જેમની તેમ દેરીની દેરી જ છે. તે પ્રમાણે આ તરૂપ આત્મા(વૃક્ષાંક ૧)ને, મારામાં બહુ ભાવની ઉત્પત્તિ જ કદી થયેલી નથી એમ સમજીને અથવા આ “હ “હું રૂ૫ થનારું કુરણ એ આત્મા જ છે એવા પ્રકારે જ્ઞાનયુક્ત ઉપાસના કરે અથવા તે હું, તું, તે, આ, મારું, તારું, ઈત્યાદિ વિવર્તભાવે અનેક નામરૂપો વડે સમજીને અનાત્મભાવે ઉપાસના કરે; પરંતુ પર્યાયે તે તે બંને એક આત્માની જ ઉપાસના થાય છે. આ દઉં : છૂપાનાણી मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥१६॥ કત તથા યજ્ઞાદિ પણ હું જ છું શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ હે અર્જુન! તુ એટલે શ્રતિની આજ્ઞાનુસાર અમિષ્ટોમમાં અથવા સમયાગાદિ શ્રૌત યજ્ઞરૂપ પણ હું જ છું; તેમ યજ્ઞ એટલે સ્મૃતિમાં બતાવેલા સ્માર્ત કે જેમાં પંચમહાય (દેવ, ઋષિ યા બ્રહ્મ, પિત, ભૂત અને મનુષ્ય યા) પણ હું જ છું. થર
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy