SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જ0. - માં વિના બામ દેવ [[મહર્ષિવર્ય આદર્શવત્ત મહર્ષિવર્યજી ઘણી નાની ઉંમરમાં એટલે શુમારે ૪-૫ વર્ષના હશે ત્યારે કુવામાંથી નાના ઘડા વતી પાણી કાઢીને સ્નાન કરતા હતા. બાળાનુસાર તેમનો એ સ્નાનવિધિ ચાલુ હતું એટલામાં તેમને એકાએક એવો સુવિચાર આવ્યો કે મુને નાનપણમાં ભગવાન મળ્યા તે આપણને કેમ ન મળે! ૫ણ ધવ તે જગલમાં ગયા એટલે તેમને ભગવાન મળ્યા અને મારે તે અહીં બેઠા બેઠા મેળવવા છે. એ વિચાર કરે છે એટલામાં તત્કાળ ત્યાંને ત્યાં જ તદન સ્થિર થઈ ગયા. સામે એક શાંત, ગંભીર અને દિવ્ય તેજને સૂર્યસમો પૂંજ તેમના જેવામાં આવ્યો અને તે તેજનો પંજ પૂંછડો તારો જેમ લાંબો થાય તે મહાવર્યના મસ્તકની આજાબાજી ગોળ કુંડાળાના આકારે ફરી વળ્યો. અને ધીરેધીરે મહર્ષિ વયની બંને I પણ દેવાંશ તે હોય જ ને! દશમે માસે પુત્રરત્ન પ્રગટ થયું. વૃદ્ધ માતા પિતાના હરખ તે પાર નહિ રહ્યો. વગે સંપત્તિ સારી હતી. કશી મણ ન હતી. પુત્ર દિને દિને હિંગત થવા લાગ્યું. માતા પિતાના આનંદનું તે શું પૂછવું! સાથે સાથે વૃદ્ધાવસ્થાની ચિંત, છોકરા માટે શું કરવું, બધાં કુટુંબી અને આશ્રિતને એકઠા કર્યા (પર્વે મેટા કે શક્તિ અનુસાર આશ્રિતને પિતાની પાસે રાખતા હતા). સર્વેના સંમતિથી એક વાડ (મેટું ઘર, જેમ નાના મોટા ઘરને રાજવાડે કહે છે, તેમાં મોટા ઘરને વાડે કહેવામાં આવતું) બાંધવાને વિચાર કર્યો. શુભ મૂહર્ત જોઈ પાયો નંખાયે. ખૂટી શેષનાગને માથામાં વાગી અને નામ હો. રાત્રે સ્વપ્ન આવ્યું કે તે માટે મેટા અપરાધ કર્યો છે, આ જગા મારાથી રક્ષિત છે માટે તારા એશ્વર્યને યા તે વંશને નાશ કરે ! નાગનું આ કથન સાંભળીને એ ગભરાટની અવસ્થામાં સમયસૂચકતા વાપરી ઐશ્વર્યાને નાશ ભલે કરે એમ કહ્યું. સવારે આ સ્વપ્નની વાત પત્નીને કરી. આશ્રિતને પણ કહી. છેવટે બાઇએ ગણેશજીની ઉપાસના કરી હતી, તેથી બાઈની સંમતિથી ત્યાં વાડાને બદલે શ્રી ગણેશજીનું મંદિર બાંધવા ઠરાવ્યું. આ પાયે નંખા ને ફરી સ્વપ્ન આવ્યું. આજે ખાઈને તો સાક્ષાત ગણેશજીએ આવીને કહ્યું કે ઘણું સારું કર્યું. આ તપોભૂમિ બનશે. આ તારા પુત્રને ઘેર ભગવાન પોતે ત્રીજું શરીર ધારણ કરશે તે જ્યારે “ક જ દો " થશે ત્યારે કેટલેક વખત અહીં તપશ્ચર્યા કરશે. તેમના વિહારથી આ બધી ભૂમિ પરમ પાવન થશે. એ અવધૂત યોગેશ્વર, મહાન સમર્થ થશે, પણ અવધૂત દશાને તેમને નિર્ધાર હોવાથી તેઓ સંપત્તિને ઇચ્છતા નહોતા. આથી આ શાપ થયો છે. માટે ચિંતા ન કરશે. આ શેષ નામ જ અહીં ખે ભગવાનની નિત્ય સંભાળ લેવાને માટે વાસ કરીને ઉતા છે. આમ તમારા કુટુંબના મહિમાની વૃદ્ધિ થશે. માતાજી એ સાંભળીને દિમૂઢ બની ગયાં હતાં. તેમને કંઈક પૂછવાની ઈચ્છા થઈ. એટલામાં શ્રી ગણેશજી અદશ્ય થઈ ગયા. માતાએ આખી રાત ઊંધ નહિ લીધી અને ભગવાનનું રટણ કર્યા કર્યું. ભગવાન ભકતનું બધુ હરણ કરી લે છે એમ જે કહેવાય છે તે ખરું, પણ એ હરણ કરનારા ભગવાન મારે ત્યાં ત્રીજે દેહ ધરશે એટલે શું તે સમજી ન શકાય. અવતરશે કે ત્રીજે દેહ ધારણ કરશે ? આમ વિચાર કરે છે, એટલામાં આકાશવાણ થઈ કે ભગવાન અજન્મા હોય છે. તેઓ ગવાસમાં શા માટે આવે ? તમારે ત્યાં તમારા પુત્રના ગર્ભમાં એક અતિશય તપસ્વી જીવ જન્મ લેનાર છે. તેનું આયુષ્ય ફક્ત અઢી વર્ષનું જ છે. તેમના શુદ્ધ શરીરમાં ભગવાન હાલમાં પોતાના બીજ દેહ વડે જે અવતાર કાર્ય કરી રહ્યા છે, તેને ત્યાગ કરી આ દેહમાં આવશે અને તમારે આ પુત્ર જે ભગવાનના અંશ સમા એ પુત્રના પિતા ગણાશે. તે દેહમાને છવ ભગવાનના અંશમાં મળી જતાં લાકે બધા તેને મૃતતુલ્ય માનશે, પણ પાછળથી તેમાંથી દિવ્ય જ્યોત પ્રગટીને તે સજીવન થશે, આ રીતે ભગવાન બે પે થે સમય અહીં નિવાસ કરશે અને પાંચ વર્ષનો થયા પછી દેવતાઓના આગ્રહથી “વસુધેવ કુટુંબકમ' ની ભાવનાવાળા બનશે. તમારા પુત્રવધુ તરીકે કાશ્યપ ગોત્રમાં એક મહામાયા અવતાર લેશે, તેના મુખ અને પીઠ ઉપર જન્મતાં જ લાસુ અને લાલ ચાઠાનો નિશાની હશે બાદ પુત્રના વિગને લીધે તમારો આ પુત્ર છેડા જ સમયમાં ભ જશે. તેથી માતાને વચન આપ્યા પ્રમાણે એ અવધૂત વચ્ચે છેડે વખત તેમની પાસે રહેશે. એ સર્વ વિધાસંપન્ન હોવા છતાં કશું પણ નહિ જણનારો થશે. ગુણેના નિધિ સમા એ અવધૂતન વિહાર સર્વત્ર થશે અને તે જગતને પાવન કરશે.’ આ રીતની આકાશવાણી સાંભળી બધી વાત. પતિને કહી અને ધણ આનંદિત થયાં. બી. ગણેશ મંદિર બનાવ્યું પુત્ર બાર વર્ષના વયને થતાં ઉપર્યુકત નિશાનીયુકત કાશ્યપ કલે"ન્ન સુશીલ શામા સાથે તેમનો વિવાહ થયો અને પછી બને ઈશ્વર શરણુમાં શ્રી ગણેશજીના મંદિરમાં વાનપ્રસ્થ રહી ઈશ્વર સ્વરૂપને પ્રાપ્ત થયા બાદ આકાશવાણી પ્રમાણે સર્વ ભવિષ્ય બન્યું. માતા, પિતાને ઘણું અનુભવ થયા હતા. આ મુજબ આ મહાપુરુષને અવતાર આ ભવળમાં થયેલું છે. ( પાક મહર્ષિવર્યના અલ્લામત થયા પછી સંગ્રહમાંથી મળેલું.)
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy