SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] અવિવેકી તે પરિણામે મિયા એવા યોગક્ષેમને અર્થે પ્રેયને જ પસંદ કરે છે. [૪૨૯ (વક્ષાંક ૩) સ્વરૂ૫ “gs રા” એ ન્યાયાનુસાર બહાર લઈ આવી પિતાના તેજોમય દેહને આ “હું” “હું” રૂપ માય (વક્ષક ૩) એ કરીને પ્રથમ સત્વ, રજ અને તમે એ ત્રણે ગુણે દ્વારા અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એમ ત્રણ પ્રકારે કર્યો ( ભા. કં૦ ૨ અ. ૧૦ લે. ૫ થી ૧૫ ભ૦ ગી” અ૦ ૭ લૅ૦ ૨૯ જુઓ). વૃક્ષ અના મિશ્રણકમની સમજૂતી પષ્ટતાને માટે દષ્ટાંત કહું છું. જેમાં અનેક જળના બિંદુઓ મળીને ખાચિવું બને છે, અનેક ખાચિયાં મળીને તળાવ, અનેક તળાવે મળીને સમુદ્ર તથા અનેક સમુદ્રો મળી મહાસાગર બને છે; તેમ બ્રહ્માંડ (વૃક્ષાક ૧૪ થી ૧૫ ) ના ચૌદ લોકમાંના અનેક મનુષ્યાદિ વ્યષ્ટિ છ મળીને સમષ્ટિ સહિત તેનો અભિમાની બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) થાય છે. જેમ ક્ષ એ વ્યષ્ટિ તથા જંગલ એ સમષ્ટિ તેમ મનુષ્ય એ વ્યષ્ટિ અને ચૌદ લોકમાંના તમામ સ્થાવર, જંગમ, જડચેતન જીવો મળીને સમષ્ટિ બ્રહ્માંડ કહેવાય છે, તથા તે સમષ્ટિનું અભિમાન ધારણ કરનારે બ્રહ્મદેવ કહેવાય છે (વૃક્ષાંક ૧૩ જુઓ). બ્રહ્મદેવથી મનુષ્યાદિ (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૪ જુએ) સુધીની સષ્ટિને વિસર્ગષ્ટિ કહેવામાં આવે છે. આ સૃષ્ટિને કાર્ય કિંવા કર્મ પણ કહે છે. હવે જેમ અનેક ખાબોચિયાં મળો તળાવ બને છે તેમ અનેક બ્રહ્મદેવ મળીને નારાયણ (વક્ષાંક ૧ ) થાય છે તથા અનેક તળાવો બનીને જેમ સમુદ્ર તેમ અનેક નારાયણે મળીને મહાપ્રાણ (ક્ષક ૬) બને છે. જેમાં અનેક સમુદ્રો મળીને થનારો જળસમૂહ મહાસાગર કહેવાય, તેમ અનેક મહાપ્રાણો મળીને ઈશ્વરની એવી માયાશક્તિ અથવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય. આ ઈશ્વરની માયાશક્તિ વા ઇશ્વરની કાળ૨૫શક્તિ ઈશ્વરના ઈક્ષણ દ્વારા લેમને પામી તે જ પ્રથમ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો વડે આ સર્વ દશ્ય જાળ વિસ્તારેલું છે. આથી તેને સર્ગષ્ટિ કિંવા કારણનું પણ કારણ એવું મહાકારણ કહે છે. આ મહાકારણ સૃષ્ટિને વિસ્તાર ઉપરના ક્રમે પ્રથમતઃ ઈશ્વરની કાળરૂપ ઈક્ષબુશક્તિ વડે થવા પામેલો ડેઈ ત્યારબાદ પ્રથમ અવ્યક્ત (વૃક્ષક ૪), અર્ધનારીશ્વર (વૃક્ષાંક ૫) તથા સત્રાત્મા કિવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) રૂપે વિવર્તાને પામેલ છે; આથી પ્રકૃતિથી તે મહાપ્રાણ (વૃક્ષાંક ૩થી ૫) સુધીનાં તત્ત્વોને મહાકારણ પ્રકૃતિ અથવા વિરાટના કારણુદેહ કહેવામાં આવે છે. ઉપર માયા શક્તિમાંથી પ્રથમ સત્ત્વ, રજ અને તમ મુગોનો વિસ્તાર થયેલે છે, એમ જે કહેવામાં આવ્યું છે તે જ મૂળ મહાકારણ પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૫) તત્ત્વમાંના (૧) અધિદેવ (ક.) (૨) અધ્યાત્મ (કારણ) તથા (૩) અધિસૂત (કાર્ય) રૂપ કહેવાય છે એમ સમજે; એટલે કે આ સ્થાન એ અધ્યાત્માદિ ત્રણેનું ઉગમ સ્થાનક છે, એમ જાણવું. તેમાંથી કમેક્રમે વિસ્તાર થઈને તે જ્યારે મહાપ્રાણુરૂપે બને છે ત્યારે તેમાંથી કારણુપ્રકૃતિ કિંવા વિરાટના સુમદેહરૂપ તત્તનું મૂળ બીજ એવું મહત્ત (વૃક્ષાંક ૭) તથા અહંકાર (વૃક્ષક ૮) પે વિવર્તાને પામે છે. અત્યાર સુધી થયેલા આ વિસ્તારમાં ત્રણ ગુ સહિત ઉપર બતાવેલા તમા ભાવનું મિશ્રણ તે હોય છે, એમ જાણવું. તે મિશ્રણને ક્રમ આ પ્રમાણે છે; વૃક્ષાંક ૩માં રમું; ૪માં ૨, ૩નું; ૫ માં ૨ થી ૪ નું; ૬ માં ૨ થી ૫ નું; ૭ માં ૨ થી ૬ નું; ૮ માં ૨ થી ૭નું; ૯ માં ૨ થી ૮ ની અંતર્ગત આવેલા તમામ તવનું મિશ્રણ છે, એમ જાણવું; તેમજ ૧૦ માં ૨ થી ૯નું; ૧૧ માં ૨ થી ૧૦ નું;. ૧૨ માં ૧થી ૧૧નું, ૧માં ૨ થી ૧૨ નું; ૧૪ માં ૨ થી ૧૩ નું તથા ૧૫ માં ૨ થી ૧૪ સુધીના તમામ ભાવનું મિશ્રણ છે, એમ સમજવું. સત્વ, રજ, તમા, એ જ અધિવ, અધ્યાત્મ અને અધિભૂત છે. આ મિશ્રણને કામ સારી રીતે સમજવામાં આવવાથી જણાશે કે, અહંકાર (ક્ષાંક ૮)માં સત્વ, રજ અને તેમનું મિશ્રણ છે, એટલું જ નહિ પરંતુ ઈશ્વરથી મહત્ત (ક્ષાંક ૨ થી ૭) સુધીના તમામ અંશનું મિશ્રણ પણ છે; તેથી આ અહંકાર (વક્ષાક ૮) પ્રથમ સત્વ, રજ અને તમ રૂપ બન્યો, તે જ ક્રમ વૈકારિક રજસ્ અને તમજૂ ૨પે કહેવાય અને તેમાંથી કમે અધિદેવ (રક્ષાંક ૬), અધ્યાત્મ(વક્ષાંક ફો, અને અધિભૂત(ક્ષાંક૬)ની
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy