SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] ગતિર્ષિ નાવિહૈ જૈ રમત . ૪. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૭/૫ સદા એકરસ, વૃદ્ધિ કિંવા ક્ષયથી પણ રહિત; જેને વાણી, મન, બુદ્ધિ પહેચી શકતાં નથી એવું મારે આ બીજું અનિર્વચનીય અને તદન શુદ્ધ પરસ્વરૂ૫ છે, એમ જાણ. આ રીતે મેં તને મારાં (૧) અપર અને (૨પર એમ બંને સ્વરૂપો કહ્યાં. તે બંને અવયવી અને અવયવની જેમ સંલગ્ન છે, એમ જાણુ. આ સર્વનું ગુહ્ય રહય સાંભળ. પર અને અપર બંને પ્રકૃતિ માયિક છે. શ્રીભગવાન આગળ કહે છે: હે અર્જુને! ઉપર મેં મારી પરા અને અપરા એમ બંને પ્રકૃતિનું વર્ણન કર્યું છે, પરંતુ વાસ્તવિક તે બંને માયિક છે. અજ્ઞાનીઓને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય એટલા માટે આ માયિક એવી મિથ્યા યુકિતનો આશ્રય લઈ સમજાવવામાં આવે છે, પરંતુ પરમાર્થદષ્ટિએ તે આ વર્ણન વધ્યાપુત્ર કિંવા શશાંગવત એટલે કે જેનું કદી પણ અસ્તિત્વ નથી એવા પ્રકારના તત્ત્વનું હોઈ તદ્દન મિથ્યા જ છે, એમ જાણે. એટલા માટે વિવેકી પુરુષો આવાં વિવેચન પરમાદષ્ટિએ કદી ગ્રાહ્ય સમજતા નથી. અરે! જે કે મનુષ્ય કદી પિતાને હું મનુષ્ય છું એમ કહે છે ખરો કે? પાણી પિતાને કદી હું પાણી છું એમ કહે છે ખરું કે? તેમ પિતામહ આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એમ કહેવામાં આવે તે પછી તેને આત્મા છે. એ કહેનાર બીજો કયાંથી આવ્યો અને તે કયાં રહે છે? અરે! આ જાણનારો છે એવી મૃર્તાિ પણ જ્યાં આત્માના આધાર ઉપર જ અવલંબન રાખે છે, તે તે જુદે કયાં રહે તેમ છે અર્થાત ૫રમાત્મા એટલે કેવળ અનિર્વચનીય તત્વ જ છે, એમ તું જાણુ, હું તો આ પર અપર બંનેથી વેગળો જ છું. સ્વભાવે જ નિષ્ક્રિય છું એટલે જેમાં ક્રિયાનો સ્પર્શ નહિ હોવા છતાં માયા વડે જાણે સક્રિય ન હોઉં, એવા ભાવવાચક શબ્દરૂપ છું. વાચ એટલે ક્રિયા, જાતિ, ગુણ આદિ જેને શબ્દ વડે બંધ થઈ શકે તે ધ્વનિરૂપે શબ્દજાળને તથા અવાય એટલે જેને શબ્દ વડે બાધ ન થઈ શકે એવે રૂપે આકૃતિ અથવા ક્રિયાને સુજનારો છું. આ મારી મિથ્યા માયિક સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબંધે તને સંક્ષેપમાં કહું છું.. કાર્યપ્રકૃતિની રચના હે અર્જુન! પ્રજાપતિ, મનુ, દેવ, ઋષિ, પિતૃગણે, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યાધર, અસુર, યક્ષ, કિન્નર, (દેવતા જેવી એક જાતિ), અપ્સરાઓ, નાગ, સર્પ, પિંપુરુષ (રાક્ષસ જેવી એક જાતિ), ઉરગ (સર્પના વ, માતૃકા (ડાકિની, શાકિની), રાક્ષસ, પિશાચ, ભૂત, વિનાયક, કૂષ્માંડ, ઉન્માદ, વેતાળ વગેરે ભૂત પિશાચ, યાતુધાન, ગૃહ, મૃગ, પશુ, ઝાડ, પર્વત, પિટ વડે ચાલનારા પ્રાણીઓ, તેમ જ સ્થળચર, જળચર, અને આકાશચર પ્રાણીઓ, આ બધાં સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનાં છે તથા (૧) જરાયુજ એટલે ઓરમાં વીંટાયેલાં અવતરે છે તે (૨) અંડજ એટલે ઈડામાંથી અવતરે છે તે, (૩) વેદજ એટલે પરસેવાથી થનારાં તથા (૪) ઉદભિજજ એટલે ફણગો ફુટીને થનારાં અથવા અનુક્રમે (૧) મૈથુન સૃષ્ટિનાં યોનિજ (૨) અંડમાંથી અવતરનારાં અંજ, (૩) જળમાંથી ઉત્પન્ન થતાં વેદજ (૪) જેનો આહાર તથા સંચાર ઊંચો થાય છે તે ઉમિજાજ એમ ચાર પ્રકારનાં પ્રાણીઓને ઈશ્વર (વૃક્ષાંક ૨) સૂજે છે. આ બધી નિયામાં દેવ આદિ ઉત્તમ નિ કેવળ પુણ્યકર્મના ફળરૂ૫ છે. મનુષ્યાદિ મધ્યમયોનિ પુશય અને પાપ એ બંનેના મિશ્રણરૂપ છે તથા નરકાદિ અધમ નિઓ (નારકી શરીરે) કેવળ પાપકર્મોના ફળરૂપ છે. દેવ, ઋષિ આદિ સાત્વિક નિ છે, મનુષ્ય રાજસ યોનિ છે તથા નારકી શરીર એ તામસ યોનિ ગણાય છે. શાસ્ત્રોમાં પરમાત્મા કર્તાદિ છે એવાં વર્ણનેનું પ્રયોજન સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોમાં જ્યારે એક એક ગુણની સાથે બીજા બે બે ગુણોનું મિશ્રણ થાય છે, ત્યારે જ દરેક કર્મ૨૫ ફળગતિનાં ત્રણ, ત્રણ બેદે પડે છે. શુદ્ધ સાત્વિક નિ, રજોગુણ મિશ્રિત સાત્વિક યોનિ અને તમોગુણ મિશ્રિત સાત્વિક યોનિ; એમ શુદ્ધ રાજ, રાજય સાનિક તથા રાજસ તામસ અને શુદ્ધ તામસ, તામસ સાત્ત્વિક, તામસ રાજસ; એ રીતે નિઓમાં મિશ્રણ હેય છે. એ મુજબ જગતને ઉત્પન્ન કરનાર ભગવાન વા ઈશ્વર( ક્ષાંક ૨) પિતે જ પશુ, મનુષ્ય અને દેવ આદિ જડ ચેતન
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy