SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] નહીરા મનીયા મનુબૈઃ [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૬૨૬ કર્યું છે એટલા માટે જ તને વખતોવખત કહેવામાં આવેલું છે કે, અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે એવા પ્રકારે વૃત્તિને એક આત્મામાં તદાકાર કરી રાખવાને જે અભ્યાસક્રમ તે જ યોગ છે. આ યોગ દઢ નિશ્ચયથી સહેજ પણ કંટાળા અથવા દુર્લક્ષ કર્યા વગર અનુષ્ઠાન કિવા અભ્યાસ કરવા યોગ્ય છે; એટલે જરા પણ દુર્લક્ષ નહિ કરતાં અત્યંત સાવધાની રાખી અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉથાન જ થવા નહિ પામે એ રીતની દક્ષા રાખી સહેજ પણ કંટાળો લાવ્યા વગર તેને અભ્યાસ કરતાં રહેવું. હે અર્જુન! આ વેગનું વગર કંટાળે અને દઢ નિશ્ચય વડે સતત અનુષ્ઠાન કરવું જોઈએ. આ કરતાં બીજો કોઈ પણ પ્રકારનો શ્રેય એમ નથી. વિશેષ શું કર્યું? યોગ એટલે અનિર્વચનીય એવા આત્માનું જ એક નામ છે, એમ તું નિશ્ચયપૂર્વક જાણું. હવે આ યોગને અભ્યાસ કેવી રીતે કરે, તે પુનઃ સંક્ષેપથી કહું છું. सङ्कल्पप्रभवान्कामा५स्त्यवत्वा सर्वानशेषतः । મનહૈયેલા નિયસ્થ વમનસ: ર૪ , નાહમ અને સહમ હે અર્જુન! પ્રથમ મેં અભ્યાસક્રમ કહેલો જ છે, છતાં દાતાને માટે ફરીથી કહું છું. આ અભ્યાસક્રમના મુખ્ય બે પ્રકારો છેઃ (૧) નિઃશેષ ભાવ તથા (૨) સર્વાત્મભાવ; આને જ અનુક્રમે નિર્ગુણ અને સગુણુ એમ પણ કહેવામાં આવે છે. પ્રથમ પ્રકારના નામ વા અનડમ ભાવના અભ્યાસન નિઃશેષ વા અશેષને તથા બીજ પ્રકારના સર્વાત્મભાવના અભ્યાસક્રમને સેહમ ના સર્વાત્મભાવનો અભ્યાસ પણ કહે છે. (૧) અંતઃકરણની અંદર મનની ઇરછાઓ વડે જે જે સંક૯પવિકોની કુરણ થાય કે તેને તુરત જ આ હું નથી,” “આ હું નથી, " એવા પ્રકારે તમામ અહમાદિ ભાવને સાક્ષા સહિત ત્યાગ કરતાં કરતાં તદ્દન નિઃશેષ થઈ જવું. આ રીતે સ્થળ તથા સક્ષમ ઇદ્રિોના જે જે વિયેનું અંતઃકરણમાં ઉત્થાન થાય કે, સુરત તેને “ આ હું નથી” એવા પ્રકારે દાબી દેવું અર્થાત સંકલ્પોનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા નહિ દેવું. આ રીતના અભ્યાસક્રમ વડે ઇંદ્રિાના સમુદાયને સરળ રીતે નિયમમાં લાવી આતે આતે અનિર્વચનીય એવા પરમપદમાં સ્થિત થઈ જવું તે નાહમ, અનડમ ક્વિા નિઃશેષભાવને અભ્યાસક્રમ સમજવો તથા (૨) “હું આત્મા છું' અને આ બધું હું, તું, તે ઇત્યાદિરૂપે જે જે કાંઈ દેખાય છે તે સર્ષ પણ આત્મરૂપ છે, એવા પ્રકારે અંતઃકરણની અંદર કોઈ પણ વૃત્તિનું ઉત્થાન થાય કે તે તમામને તુરત જ આમ૨૫ છે એ રીતના એક પ્રતિસંક૯૫ વડે આત્મરૂપ બનાવી દેવા; આ અભ્ય સને એડમ વા સર્વાત્મભાવને અભ્યાસ કહે છે. આ જે જે કાંઈ છે તે હું છું અને એ હું અનિર્વચનીય એ આબરૂ૫ છે, એવી રીતનો જે આ અભ્યાસક્રમ તેને હમને” અભ્યાસક્રમ જાણવો. નિર્ગુણ અને સગુણ કિવા નિરાકાર અને સાકાર એવી ઉપાસનાની વ્યવહારમાં જે પ્રથા છે, તેનો મૂળ ઉદ્દેશ પણ વસ્તુતઃ તો આ રીતના નિઃશેષ અને સત્મભાવના અભ્યાસક્રમમાં જ પરિણમે છે, પરંતુ અા વીઓ તેવું સમજવા શક્તિમાન નહિ હેવાને લીધે મૂતિને સાકાર તથા મૂર્તિ રહિતને નિરાકાર કહી ખોટા ઝઘડાઓ કર્યું જાય છે. આ સંબંધે થોડે વધુ વિચાર કરવાની આવશ્યક્તા જણાય છે. સગુણ નિર્ગુણ તથા સાકાર નિરાકાર એટલે શું? ગુણ રહિત તે નિર્ગુણ અને ગુગ સહિત તે સગુણ કહેવાય; તેમ જ આકાર સહિત તે સાકાર અને આકાર હિત તે નિરાકાર; એવા શબ્દોના અર્થો સામાન્યતઃ વ્યવહારદષ્ટિએ પણ પ્રચલિત છે. પરમાત્મા સ્વતસિહ અને સ્વયંપ્રકાશ છે; તેમાં છે, નથી કિવા તે બંનેને સાક્ષીભાવ વગેરે કથાનું પણ અસ્તિત્વ • આત્મપદ વિશ્રાંતિના અભ્યાઅમને માટે ધિરાંશ ૨૨, તથા અન્યાય ૨ ઑક, ૩૯ એ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy