SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] તથા આના જેવો બીજો કોઈ વર પણ નથી. [ ૩૫૩ છે અને આવતા ગણેશ છે. તે સર્વના મૂલ આધાર૫ હેવાથી તેને મૂલાધાર કરે છે. તે ચકમાં જયારે આ પ્રાણવાયુનું પ્રસરણ થાય છે ત્યારે આસન ડગમગતું હોય તેમ લાગે છે, આસન ઉપરથી ઊઠી જવાનું મન થાય છે તથા જે યમ નિયમોનું પાલન બરાબર ન થયું હોય અને પેટમાં ભાર હેય તે કઈ કઈ વખતે જુલાબ વગેરે થઈ અપાન વાયુનું પ્રસરણ થઈ આવે છે; માટે યોગાભ્યાસીએ પ્રથમ તે યમનિયમાદિનું સંપૂર્ણ રીતે પાલન કરવું અત્યંત આવશ્યક છે. આ માર્ગમાં તે ફક્ત વાયુદ્વારા શરીરને શુદ્ધ કરવાનું છે. શરીરમાં જેટલો મેલ હશે તેટલી આસનસિદ્ધિનાં ત્રુટિ રહેશે તથા આવી ત્રુટિ સિલક હોવા છતાં જે ચક્રભેદનનો પ્રયત્ન કરવામાં આવશે તે તેથી વધુ ત્રાસ થવા સંભવ છે; માટે યમનિયમાદિનું સારી રીતે પાલન કરી બાદ આસનસિદ્ધિ કરવી જોઈએ. ત્યાર પછી જે વાયુને રોકી તેને ચક્રભેદનના માર્ગે લઈ જવામાં આવે તે પછી તે થકી કાંઈ પણ ભય રાખવાનું કે ત્રાસ થવાનું કારણ રહેતું નથી. બને ત્યાં સુધી આ અભ્યાસ એકલાએ જાતે કદી પણ કરે નહિ, પણ ગુરુની સાંનિધ્યમાં રડાને જ કરવો. આ રીતે મૂલાધારચક્રમાં પ્રાણવાયુનો સંચાર થાય એટલે પરા વાણીરૂપ કારની અરફુટ રકુરણની શરુઆત આપોઆપ થાય છે પછી તે વાયુને થોડી હઠવડે ઉપરના સ્વાધિષ્ઠાન ચક્રમાં ચઢાવવો. સ્વાધિષ્ઠાનચારનું ભેદન સ્વાધિકાનચામાં વાયુ આવ્યા પછી વળી પાછો તે મૂલાધારમાં ઊતરી જવા પ્રયત્ન કરે છે; માટે નિમક રાખી, નહિ ગભરાતાં તેને ત્યાં જ સ્થિર કરવો. આ સ્વાધિકાનચક્ર લિંગની સામી બાજુએ અંદરના ભાગે મૂલાધારથી તદ્દન સીધી દેવામાં આવેલું છે. તેમાં છ દળો હોઈને તેના દેવતા બ્રહ્મા છે તથા તે અર્ધ ચંદ્રના આકારે છે તે જ સ , ૨, ૪, ઇં. આ છ બીજાક્ષરોથી યુક્ત અને અગ્નિ સમું હાઈ પરલિમના અધિકાને ૨૫ છે. કમભેદથી કેટલાકના મતે મૂલાધારના દેવતા ગણેશ અને સ્વાધછાનના દેવતા બ્રહ્મા છે. આ વાધિદાનચક્રમાં જ્યારે પ્રાણવાયુ આવે છે ત્યારે પેટમાં ખળભળાટ થવા માંડે છે તથા ગભરાટ પણ કરાવે છે, પરંતુ તેથી જરા પણ ડગમગવું નહિ. કારને સ્વયંનાદ વધુ સ્પષ્ટ થતે ભાસે છે ત્યાર બાદ યુક્તિઓ સ્વાધિષ્ઠાનચકમાંથી તેને ઉપર મણિપુરચક્રમાં ચઢાવ. મણિપૂરચક્રનું ઉત્થાન આ ચા નાભિની સામી બાજુ એડની સરળ રેવામાં જ છે. તેમાં દશ દળ હે ઈ , , , , , હિં હં, ન, ઉં, વ. આ દશ બીજાક્ષરોથી યુક્ત છે. તે મેઘના જેવું બહુ તેજોમય છે. તે વિષ્ણુધી અધિહિત હે વિષ્ણુના દર્શનનું કારણ છે. તે તેના દેવતા વિષ્ણુ કહેવાય છે. આ મશર ચક્ર ત્રિોણાકાર છે. મણિઓ જેવું વિકસ્વર લેવાથી તે મણિપદ્ધ કહેવાય છે. પશ્યની વાણીનું તે સ્થાન હાઈસ્કાર પિકી “અકાર" માત્રાની ઉત્પત્તિ અત્રેથી થાય છે. આ ચક્રમાં જ્યારે પ્રાણવાયુને સંચાર થાય છે ત્યારે પ્રથમ તે પેટમાં ગડગડાટનું જોર વધે છે. આખા શરીરે પસીનો પસીને થઈ જાય છે. ગભરાટ પણ વધે છે અને પ્રથમ આંટીનું ગૂંચળું વળીને અને નીચે મોટું કરીને બેઠેલી નાગણની સાથે તેને પ્રસંગમાં આવવું પડે છે. તે નાગણ અર્થાત “કુંડલિની ' આ પ્રાણાયુના તાપને લીધે સહેજ મેટું ઉપર નીચે આમતેમ કરે છે. બા શક્તિ જેવી રીતે વીજળીનું કુંડલ હેય અને તેમાં વચ્ચે વીજળીની બત્તીઓ હોય તેવી ઝગમગાટવાળું દેખાય છે. આ દૈદિપ્યમાન કુંડલિનીનું દર્શન યોગીને પ્રથમ અને જે થાય છે. મારી વારે નાગણને પલામાંથી ઉઠાડે છે ત્યારે તે કંફાડા મારી પાછો ગૂંચળું વળીને સૂઈ જાય છે તથા જ્યારે તે તેને પુનઃ જમાડે છે ત્યારે પુનઃ ફુલડે મારે છે. તેવી રીતે આ કુંડલિની૫ નાગ પણ વાયુના ઉપર ચઢવાથી તેને ફાડાએ મારી વખત : વખત ફરીથી નીચે ધકેલતી રડે છે, પરંતુ તે વાયુ નાગીને જંપવા દે નથી; આથી છંછેડાયેલી તે નાગણ ઊઠી દેધે ભરાઈ ને જીભ વડે સર્વ માંસ, મજા, ત્વચા આદિ વધેલો મેદ ચાટવા માંડે છે તથા તે મળને સાચટ કરતી રહે છે. આ વખતે યોગીની સ્થિતિ ઘણી જ કડી બને છે. તેને બેચેની ઉત્પન્ન થાય છે, * ગુદાચારની નીચેના ચકના દેવતા ગણેશ હોઈ મૂળાધારના દેવતા બધા છે, એ કેટલાકને મત છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy