SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] હું તને આજે આ લેક સંબધી ખુશીથી બીજે એક વર દઉં છું. [ ૩૦૩ અને સૂક્ષ્મ તથા સ્થળ ઈદ્રિયોને નિગ્રહ કરવામાં પોતાને પુરુષાર્થ એ ત્રણની જ જરૂર છે. “હું” એ અહંકાર ફરી આવો તે બંધ ઉત્પન્ન કરનાર છે અને “હું” એવું કાંઈ છે જ નહિ એવું કેવળ મટેથી બોલીને નહિ, પરંતુ હું ભાવને પ્રત્યક્ષ વિલય કરવો અને પછી જે પદ અવશેષ રહે તેને રવાનુભવ લે. એટલો જ એક બંધ અને મોક્ષનો હેતુ છે. આવા અનુભવસિદ્ધ અપરોક્ષજ્ઞાન થકી જ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ થઈ મેં ક્ષ પ્રાપ્ત થઈ શકે છે. તેની પ્રાપ્તિ કરવી એ તે પિતાના હાથની વાત છે; માટે અંતઃકરણમાં “હું” ભાવનું કદી કિંચિત્માત્ર પણ સ્કરણ ઉત્પન્ન થવા ન પામે એ રીતે કાયમને માટે “હું” ભાવથી રહિત થઈ ૨હેવું. એ અસ્થાની નિત્યપ્રતિ દઢ ભાવના રાખીને કર્મ કરનારે. અપરોક્ષાનુભવી સર્વ કરવા છતાં કંઈ પણ કરશે જ નથી. ઘણાયા જ િણ સ્થa mત : लिप्यते न स पापे। पुमपत्रमिवाम्भसा ॥ १० ॥ અસંગ પુરુષ કર્મના ફળથી જરા પણ લેપતે નથી આ પ્રમાણે પ્રત્યેક કર્મોને બ્રહ્મમાં અપર્ણ કરીને એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાંજ તે બ્રહ્મ છે એ પ્રકારની નિશ્રયાત્મક બુદ્ધિ વડે આત્મસ્વરૂપ એવા મારામાં તો ઈકો, તેના વિષે, તેનાં કર્મો તથા તેનાં ફળ ઇત્ય દિ કંઈપણ છે જ નહિ એ બે પ્રકારની અસંગે બુદ્ધિ રાખી જે કર્મો કરે છે તે જેવી રીતે કમળના પાનને પાણી કદી પણ સ્પર્શ કરી શકતું નથી તેવી રીતે પાપથી કદી પણ લપાતો નથી, એટલે તેને પાપને કિંચિત્માત્ર પણ કદી સ્પર્શ થતો નથી. જે કમંથી જન્મમરણરૂપ ફળ ઉત્પન્ન થાય તેને શાસ્ત્રોમાં પાપકર્મ કહે છે, પરંતુ સંગરહિત એટલે જન્મમરણાદિરૂ૫ ફળ નહિ ઉત્પન્ન થાય એ રીતની આસક્તિ વિનાનો પુરુષ ગમે તેટલું કર્મ કરે છતાં તે તેમાં જળકમળવત રહિ કિંચિત્માત્ર પણ કદી લેપતે નહિ હેવાથી તે પાપ રહિત હોય છે, એમ ભગવાને કહ્યું છે. कायेन मनसा बुद्ध्या केवलैरिनिरपि । વોરિન ક્રમ ા આસક્તિ છોડી યોગી કામ કરે છે ઉપર જણાવી ગયા છે, જે કઈ કર્મને આરંભ જ કરવામાં નહિ આવે તે તેનો ત્યાગ કેવી રીતે સિહ થાય? જેમ કે કહે કે મને સ્વપ્નામાં રાજ્ય મળ્યું હતું, પરંતુ તે મેં જામતમાં ત્યાગ કર્યો; તો તે જેમ હાસ્યાસ્પદ લેખાય અથવા મૃગજળનો ત્યાગ કરવામાં આવે તો તે હાંસીપાત્ર જ લેખાય; કેમ કે જે. વસ્ત કરી છે જ નહિ કે હતી પણ નહિ તેવી વસ્તુનો તે વળી ત્યાગ શી રીતે સંભવે? જે તેમ કાઈ કર્મ જ કરવામાં ન આવે તો પછી મેં તે કર્મને ત્યાગ કર્યો એમ કેવી રીતે કહેવાય? જેઓ વેપારાદિ કરનારા હોય તેઓ કદી યુદ્ધ કરતા નથી, તેથી શું તેઓએ યુદ્ધનો ત્યાગ કર્યો છે એમ કહેવાય ખરું કે? અથવા મનુષ્યોને કદી શી ગડાં તથા પંછડાં હતાં નથી, તે ઉપરથી શું એમ કપાશે કે તેઓએ તેનો ત્યાગ કર્યો છે? અર્થાત ખરો ત્યાગ કિવા સંન્યાસ તે તે જ છે કે, જેમ જળમાં રહેવા છતાં પણું કમળના પત્રને પાણીનો કિચિ માત્ર પણ સ્પર્શ થતું નથી તેમ ઇંદ્ધિ સ્વાભાવિક રીતે કર્મમાં પ્રવૃત થાય અથવા નિવૃત્ત થાય તે પણ જેને તેના કર્માને લેશમાત્ર પણ કદી સ્પર્શ થતો નથી; આથી જેણે આત્માનો અપરોક્ષ અનુભવ કરે હવાથી હંમેશા આત્મસ્વરૂપમાં જ રત થયેલો છે તે આત્મજ્ઞ યોગી કાયા એટલે શરીર, વાણી, મન અને બુદ્ધિ ઇત્યાદિ સૂમ તથા સ્થળ ઇતિદ્વારા કેવળ શુદ્ધ એવા આત્મસાપમાં જ સ્થિત રહીને કર્મો કરતે # ચારચાssણg ૨૨ .
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy