SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ગીતાદહન ] એ સ્વર્ગલેક જ યજ્ઞાદિ વડે મેળવવા યોગ્ય હોઈ તે જ – [ ર૮૯ શ્રદ્ધારહિત પુરુષને કરેલે ઉપદેશ નામે છે શિખિધ્વજ કહે છે કે, હે દેવપુત્ર ! આજે ઘણે કાળે આપે મને બોધ આપ્યો છે. હું આજ સુધી કેવળ અજ્ઞાનને લીધે સજજનોને સંગ તરફ લક્ષ નહિ આપતાં આ વનમાં આવીને રહ્યો છું. મારાં સર્વ પાપો ક્ષીનું થઈ ગયાં છે એમ હું માનું છું, કેમ કે આપ જ અડી પધારી મને બોધ આપો છો હે સુંદર મુખવાળા દે પુત્ર! આપ જ મારા ગુરુ, કિતા અને મિત્ર છે. હું આપને શિષ્ય થઈ આપના ચર માં નમસ્કાર કરું છું. મારા ઉપર આપ કૃપા કરો અને જે જાગ થી કરી સંસારચક્રમા પરી કદી શો કરવો પડતું નથી. જે વડે પરમ સુખ અને શાંત પાપ્ત થાય છે, એવું જે જ્ઞાા આપ જાણે છે તે ઉત્તમ પગાના બ્રહ્મજ્ઞાનને મને હવે તુત ઉપદેશ કરો. ઘડાના તથા વસ્ત્રાદિના આકારે જે જુદા જુદા શાન વડે ભાસમાન થાય છે તેને પણ એકરૂપે જાગુના સર્વથી શ્રેષ્ઠ એવું કહ્યું જ્ઞાન છે કે, જેર્યા આ સંસારસાગર તરી જ વાય ? દેવપુત્ર કહે છે કે, હે રાજર્ષિ ! શ્રદ્ધારડિત પુરૂને કર ઉપદે ઠા પાસ કરેલા કાગડાના અવાજની પિ તદન નકામો છે; માટે તેમ થાય એવું હશે તે હું તે ગુપ્ત રહસ્ય તને કદાપિ કોશ નહિ, પરંતુ જે શ્રદ્ધા વડે મારા વાકાને ગ્રહનું કરશે અર્થાત મારા ઉપર દઢ શ્રદ્ધા હશે તો જ તમે પૂછો છો તે જ્ઞાન જે પકારનું અને જેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે સર્વે હું તને કહીશ. જે મનુષ્ય શ્રદ્ધા વગરને હોઈ કેવળ વિનોદ કરવા માટે જ પ્રશ્નો પૂછે છે, પરંતુ વક્તાએ કડલાં વચનોને હગ કરતો નથી, એ છે મનુષ્યોની પાસે કહેવામાં આવતાં વચનો જેમ અંધારામાં આંખ ફાડી ફાડીને જોવામાં આવે તો પણ તે સાવ નકામું છે તેમ તે ઉપદેશ પણ નિષ્ફળ નીવડે છે, માટે શ્રદ્ધાડીને પુરુષને કદી પણ બોધ આપવો જોઈએ નહિ. અવળે રાહ બતાવનારને થતો નાશ શિખિધ્વજ બોલ્યોઃ આપ મને જે કહેશે તે હું કૃતિમાં કહે છે વિધિવાક્ય એટલે આની પેઠે કઈ પણ જાતને મનમાં કુક નહિ કરતા તકાળ સંપૂર્ણ શ્રદ્ધાથી અડગ કરીશ. આ મારું કથન તદ્દન સત્ય છે, એમ આપ નિશ્ચયથી સમજને. દેવપુત્ર કહે છેઃ જેમ પતાનું કહેલું વાકય સાચું છે કિયા ખોટું છે, એ કુતર્ક કર્યા વિના પરિણામે હિતરૂપ સમજીને માત્ર આજ્ઞા તરીકે જ માનવામાં આવે છે, તેમ આ મારાં વચનને પણ તેનો હેતુ વિષેનું પ્રયોજન ન શોધતાં એટલે કુશંકા નહિ કરતાં હિતબુદ્ધિથી એક આજ્ઞા તરીકે સમજી કાનને સુખ આપનારા ગાયનની પેઠે શ્રદ્ધાથી શ્રવણ કરો અને તે સાંભળ્યા પછી પણ મારું કલ્યાણ જ થયું છે એવી દ ભાવના રાખો; કારણ કે, જિતાસુ તથા શ્રદ્ધાવાન પુરુષને જે મનુષ્ય ઊધે રસ્તે દેરે છે અથવા દંભથી અવળો રાહ બતાવે છે તે પિતે જ સર્વ રીતે નષ્ટ થાય છે, એમ જાણવું; માટે શ્રદ્ધાવાન પુરુષને કદી પણ અસત્ય વચને કહેતાં નહિ. જેની બુદ્ધિ મંદ હોય તેને લાગે કાળે બંધ થાય છે તથા તીવ્ર બુદ્ધિમાનને તત્કાળ જ્ઞાની પ્રાપ્તિ થાય છે, પણ શંકાકુશંકા કરનારો તે અંતે વિનાશને જ પામે છે, એમ નિશ્ચયથી સમજો (૦ નિ પૂ. સ. ૮૭, ૩૫ થી૪૬). योगस यस्तकर्माणं ज्ञानसञ्च्छिन्नसशयम् । आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ॥ १ ॥ આત્મામાં રત થયેલા પુરુષને કર્મો બંધનકર્તા નથી ભગવાન આગળ કહે છે હે ધનંજય! ઉપર જણાવ્યા મુજબ આ સાં આત્મસ્વરૂપ છે, તેથી ૬ કાંઈ છે જ નહિ, એ પ્રકારને જે નુ નવુ નિશ્ચય થયેલો છે અને તે નિશંક જ્ઞાનથી જેના તમામ સંશયો છેદાઈ ગયા છે તથા જે યોગ એટલે નિસંશય થઈ નિત્યપ્રતિ આ આત્મવરૂ૫ છે એવો અભ્યાસ કરે છે, તેમ જ એક નિશ્ચય અને દર શ્રદ્ધાથી તલવારની ધારની જેમ એ જ એક બેયને નજર સામે રાખી અંતઃકરણમાં બીજી કોઈ વતન ઉથાન થવા ન પામે એવા પ્રકારની સાવધાનતા રાખી નિત્ય આત્મામાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy