SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] वैश्वानरः प्रविशस्यतिथिर्ब्राह्मणो गृहान् | સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૪૮ અથવા સંકલ્પિત મનારથની પેઠે તદ્દન મિથ્યા જ પ્રતીતિમાં આવે છે. આમ આ નિયતિમાં વિચિત્ર અને અદ્ભુત એવી વિચક્ષણ શક્તિ છે. જ્ઞાનીને દેહ પ્રાધ હોય છે કે ? હૈ જ્ઞાનીઓમાં ઉત્તમ વિસષ્ઠ ઋષિ! જે માણસને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મપદની પ્રાપ્તિ થાય છે તે જ્ઞાનીના દેહ રહે છે તેનુ કારણ શું? અને કદાપિ તે પ્રારબ્ધથી જ રહેતા હોય તેા જ્ઞાન થયા પછી પણું પ્રારબ્ધ કેમ રહે ? તે કા. નિયતિ કદી અન્યથા થઈ શકે નહિ શ્રીવસજી કહે છેઃ બ્રહ્મની “અહમ્' એવી સ્ફુરણારૂપ જે ચિચ્છકિત છે, તેને જ નિયતિ (વ્રુક્ષાંક ૩) કહેવામાં આવે છે. તે સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે અને તેની સત્તા પ્રત્યેક કલ્પમાં છે; તે નિયતિશક્તિને લીધે જ સૃષ્ટિના આદિથી અંત સુધી અમુક પદાર્થોમાં અમુક અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે વગેરે જે જે કાંઈ નિર્માણ થઈ ચૂક્યુ છે તે તેમને તેમ જ રહે છે, તેમાં કદી સહેજ પણ ફેરફાર થતા નથી. આ નિયતિને કાઈ મહાસત્તા, કાઈ મહાચિતિ, કૈાઈ મહાશકિત, કાઈ મહાદષ્ટિ, કાઈ મહાક્રિયા, કાઈ મહેદ્ભવ અને કાઈ મહાપદ કડે છે. આ મુજબ માહાત્મ્યનો એકપણાને લીધે નિયતિનાં જુદાં જુદાં અનેક નામેા છે. વાયુમાં જેમ તૃણુ કિવા ત્રસરેણુએ ભમ્યા કરે છે તેમ આ નિયતિએ ઠરાવી આપેલાં ગુણધર્માનુસાર દેવતાએ, દૈત્યેા, નાગગણા, સમુદ્રો તથા પતા વગેરેની સ્થિતિ કલ્પ પર્યંત રહેલી છે. જેમાં કાઈપણ જાતના દોષને કિંચિત્માત્ર પણ સ્પર્શ નથી તેમાં કદાચ દાયનુ' અનુમાન થાય છે અને જેમાં કદી ચિત્રતા સંભવ નથી એવા આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય, પણ નિયતિ તા કદાપિ અન્યથા થઈ શકતી જ નથી; એટલે નિયતિ અન્યથા થશે એવું અનુમાન કરવું પણું શકય નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે તત્ત્વજ્ઞાનીએ અજ્ઞાનીએને સમજાવવાને માટે તેને નિયતિ એવી સત્તા વડે સોધે છે, બ્રહ્મ, નિયતિ અને સ` એ ત્રણ વસ્તુત: તે એક જ છે. આકાશમાં જેમ ઝાડની કલ્પના થાય તે પ્રમાણે જે આદિ, મધ્ય અને અંતે પણુ બ્રહ્મરૂપ જ છે, જે અચળ છતાં જાણે ચળ હેાય એમ જણાય છે, તે અમર્યાદા એવા બ્રહ્મને મર્યાદિત બનાવીને આ ષ્ટિ રહેલી હોય એમ અજ્ઞાન દષ્ટિથી ભાસે છે. જેમ રટિક મણિમાં વનસમૂહનું પ્રતિબિંબ પડે છે અને સૂતેલેા માણુસ સંકલ્પના માશ્રયરૂપ સ્વપ્નામાં આકારાને જુએ છે, તેમ માયા શખલ બ્રહ્મમાં એટલે ઇશ્વર (વૃક્ષાંક ૨) માં રહેલા બ્રહ્મદેવ નિયતિરૂપ આ સૃષ્ટિને જુએ છે. જેમ હાથ પગ વગેરે અંગા દેહધારીના દેહને વિષે દેખાય છે તેમ ઈશ્વરસ્વરૂપ બ્રહ્માએ નિયતિ વગેરે આ બધી સૃષ્ટિ પશુ પેાતાનું જ અંગ છે, એમ જોયું. આ રીતે કાળના આશ્રયે રહેલી નિયતિને જ દૈવ કહે છે. પૌરુષ અને દૈવ પરસ્પર સ’લગ્ન છે દૈવ સવ સ્થળે, સર્વકાળમાં અને સર્વ પદાર્થીમાં વ્યવસ્થિત રીતે રહેલુ છે; તે વડે જ જગતની વ્યવસ્થા ચાલે છે. અમુક પદાથે આવી રીતે સ્ફુરણા કરવો, અમુકે આવો રીતે રહેવું અને અમુકે અમુક પદાર્થ અમુક વખતે ભાગવવા એ બધું દેવાધીન છે. તૃણુ, ગુલ્મ, સર્વભૂત, જગત, કાળ અને ક્રિયા વગેરે સર્વ પુરુષરૂપ છે, નિયતિ એ પૌરુષી અર્થાત્ ઈશ્વર (વ્રુક્ષાંક ૨)ના ઈક્ષણુરૂપ કાળની સત્તા છે અને એ પૌષે કરીને જ નિયતિની સત્તા છે. આ રીતે જ્યાં સુધી જગત છેત્યાં સુધી એ એકબીજાની પરસ્પર સત્તા છે; તેથી પૌરુષ અને નિયતિ એ બને એક જ છે. પ્રાણીનું અદૃષ્ટ ભાવિ નિયતિ અને પૌરુષ એ 'તેને અધીન છે તથા પૌરુષ નિયતિમાં અને નિયતિ પૌરુષમાં રહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ નિયતિનું ઉલ્લંઘન કરી શકતા નથી હવે દૈવ અને પૌરુષને અતિમ નિય કહું છું. હું તમને ઉપદેશ કરું તથા તે પ્રમાણે તમા વર્તી એ પણુ નિયતિને લીધે જ બનો રહ્યું છે. આજ મતે જૈવ ભાજન આપશે તેા જ હું જમીશું, આ પ્રમાણે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy