SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦] જરા તી ત:ોનાર ૧ લા રામતિ ઠ. સિદ્ધાન્તકાવડ ભર ગી. અવે ૪/૪ स पाऽयं मया तेऽद्य योगः प्रातः पुरातनः । भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥ ३॥ આ યોગ અનાદિ કેવી રીતે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન! આ અવ્યય એટલે જેનો કદી પણ નાશ થતો નથી એ વેગ અર્થાત “હું" એટલે આત્મા છું, આત્મા વગર બીજું કાંઈ પણ છે જ નહિ, એ પ્રકારનો ત્રિકાલાબાધિત અને નિત્ય એ આત્મરૂ૫ ભોગ જે અત્યારસુધી તને કહેવામાં આવ્યો તે મેં પ્રથમ સૂર્યને કહ્યો હતે; સૂર્યે પોતાના પુત્ર મનુને તથા મનુએ પોતાના પુત્ર અફવાને કહ્યો હતો. ચિત્તરૂપ યજ્ઞનારાયણ યા યઝદેવ વિષ્ણ(વૃક્ષાંક ૯), વિષ્ણુનું નાભિકમળ કિવા હિરણ્યગર્ભ(વૃક્ષાંક ૧૨),સુવર્ણમય પરપોટો એટલે બ્રહ્માંડ (વૃક્ષાંક ૧૪) માં બ્રહ્મા (વૃક્ષાંક ૧૩) તેમ જ મરીચિ, કશ્યપ, સૂર્ય, શ્રાદ્ધદેવ, મન અને વાયુ આ રીતની પરંપરાથી પ્રાપ્ત થયેલાં આ લેગ xરાજર્ષિઓ જાણતા હતા. લાંબો કાળ વ્યતીત થવાને લીધે હમણાં તે નાશ પામી ગયેલો હોવાથી આ અનાદિ યોગ જ મેં તને આજે ફરીથી કરેલા છે; કારણ કે, તું મારો ભક્ત અને સખા છે, તેટલા માટે આ ઉત્તમ રહસ્યપૂર્ણ વેગ મેં તને કહેલો છે, ઉદેશ એ કે, તને કદાચ એમ લાગશે છે. આ બધું મને યુદ્ધમાં લગાડવા ની ઇરછાથી જ તમને સમજાવી રહ્યા છો તે તેમ નથી; પરંતુ અનાદિ કાળથી સ્વતઃસિદ્ધ અને પરંપરાગત ચાલતે આવેલ કૃતિશાસ્ત્રમાન્ય એ આ યોગ જ હું તને. કહી રહ્યો છું, કેમકે વચ્ચે ધાગે કાળ વ્યતીત થવાને લીધે તે નષ્ટ થયા જેવો લાગતો હતો, તે જ ઉત્તમ રહસ્યપૂર્ણ વેગ આજે મેં તને ફરીથી કહેલો છે. પરંપરા બતાવવાનો ઉદેશ આ પ્રમાણે પરંપરા બતાવવાનો ઉદ્દેશ એ હોય છે કે, દરેક શાસ્ત્ર અપૌરુષેય એવા વેદથી જ શરૂ થયેલ છે; એટલે શાસ્ત્રની પરંપરાનો મૂળ આરંભ આ અપૌરુષેય એવા વેદ હોઈ તે ઈશ્વરપ્રેરિત છે; તે કઈ માનવીના બનાવેલા નથી, પરંતુ સ્વતઃસિદ્ધ છે; આથી તે અપૌરુષેય છે. વેદને અપૌરુષેય કેમ કહેવા તે સંબંધે કેન ઉપનિષદમાં આ પ્રમાણે કથન છે. બ્રહ્મ પોતે જ યક્ષ એવા ઈશ્વર સ્વરૂપે બન્યા. તેને ઓળખવા માટે સર્વ દેવતાઓએ પ્રથમ અગ્નિ પછી વાયુ અને છેવટે ઇંદ્રને મોકલ્યા. તેઓ સ્વતઃ શ્રદ્ધાનું સ્વરૂપ જાણવા શક્તિમાન થવા નહિ. આથી તે યક્ષરૂપ ઈશ્વર પિતાનાં મૂળ અનિર્વચનીય બ્રહ્મ વા આત્મસ્વરૂપમાં લીન થઈ ગયા અને જ્યારે તેમણે ઇદ્રની તીવ્ર જિજ્ઞાસા જોઈ ત્યારે તેને પોતાના સત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવી આપવાના ઉદ્દેશથી અપરાવિદ્યાદેવી ઉમા રૂપે પુનઃ પ્રકટ થયા અને તે દ્વારા તેને પોતાના સાચા બ્રહ્મસ્વરૂપનું સાચું જ્ઞાન કરાવી આપ્યું; એ 7 1 ( પછી ઈંદ્રાદિ દેવતાઓએ પરંપરાથી જગતમાં પ્રગટ કર્યું છે, આથી આવા ઉમામહેશ્વર સંવાદરૂ૫ ગણાતા તમામ શાસ્ત્રો ઈશ્વર પ્રણીત હોઈ તે જ સત્ય કહેવાય છે; વેદની અપૌરુષેયતાને માટે બૃહદારણ્યક, છાંદોગ્ય વગેરે ઘણા ઉપનિષદોમાં અને પુરાણદિકમાં પણ કહેવામાં આવેલું છે. આથી શ્રીકૃષ્ણ ભગવાને અને એવું સૂચન કર્યું કે, આત્મસ્વ૫ (૨ક્ષાંક ૧) એવા મેં જ આ યંગ ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપમાં અર્થાત સાક્ષીભાવમાં સ્થિર રહીને માયાશક્તિ (ઉમા) દ્વારા બ્રહ્મદેવના મુખેથી વેદસ્વરૂપે પ્રકટ કરી સૌથી પ્રથમ આઘપુત્ર સુર્યને કહ્યો, સૂર્યો મનને અને મનુએ વાક રાજાને કહ્યો હતો. એ પ્રમાણે તે પેગ બહ્માંડમાં પ્રથમ રાજાએામાં પ્રકૃતિને પામેલ છે તથા રાજાઓએ તે પોતપોતાની પ્રજાને અત્રે આવેલે યોગ શબ પ્રથમ અધ્યાય ૨-૩માં બતાવ્યા પ્રમાણે સાંખ્ય એટલે જ્ઞાન, કર્મ (હઠ) અને ભક્તિ બપાંને માટે સમજ. આ યોગ સંબંધમાં શ્રીભગવા આગળ પાંચમા અને બા અધ્યાયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. રાજર્ષિઓ નણતા હતા એમ કહેવાનું કારણ અધ્યાય ૯ના આરંભમાં આગળ કહેવામાં આવશે તે જોવું તેમજ અ. ૨૨ ૦ ૪૨થી ૪ની ટીમ પાનું ૧૭૬ તથા ભા૦ • , અ. ૧ જીએ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy