SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ]. 1 જુન વિષાવેતરાવાતિ-- [ સિદ્ધાન્તકાહડ ભ૦ ગીત અ૦ ૨/૪૭ રહેલી છે. પરંતુ તે તે “હું” (વૃક્ષાંક ૩) કે જેમાં આ ત્રણે ગુણો છે, તેમાંનું કાંઈ જ નથી, પરંતુ તત (આત્મારૂપ વૃક્ષાંક ૧) એવો અનિર્વચનીય આત્મા છે. કે જેમાં આ “હું” (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષી (વૃક્ષાંક ૨)ની ઉત્પત્તિ કદી સંભવતી નથી. જે આત્મસ્વરૂપ ત્રિગુણાતીત, કંદથી રહિત નિત્ય, સતરૂપ અને યોગ તથા શ્રેમથી પર છે, એવો આત્મ (વૃક્ષાંક ૧) ૩૫ તું થા. ઉદેશ એ છે કે, જે સુવણને સુવર્ણ છે એમ કહેવામાં આવે ત્યાં સુધી તો કહેનારો ને તે વસ્તુ એમ બે ભા તો ભિન્ન સ્થિતિમાં સ્થિત હોય છે. તેમ આ સર્વ હું, તું, તે વગેરે આત્મરૂપ જ છે, એવી યુક્તિનો અભ્યાસ કરવાથી તેવો કહેનાર સાક્ષી તો કોઈ જ શેષ રહે છે, તેથી અંતભાવની સિદ્ધતા થતી નથી; આટલે આમાં પણ દોષ રહે છે અર્થાત તેમાં સાક્ષીભાવ તે શેષ રહે છે. તે દોષ પણ ન રહે તેવી શુદ્ધ પદમાં સ્થિતિ થવાને માટે નિગક્ષેમ થવાનું શ્રીભગવાને અર્જુનને અત્રે જણાવેલું છે. આ સઘળું આત્મા છે. એમ કહેતાં કહેતાં તેમાં તદ્રુપતા થવી અર્થાત ઐકયભાવમાં સ્થિરતા થાય તેને ક્ષેમ કહે છે, પરંતુ એવી રીતે સ્થિતિ થવી એ પણ એક પ્રકારનો મેહ જ ગણાય, કેમકે આત્મામાં તો આ બધું કેવી રીતે સંભવે? જેમ દોરીને દોરી કહેવામાં આવે કે સર્પ કહેવામાં આવે તો પણ તે પોતે તે સ્વતઃસિદ્ધ જ હોય છે. તે તે કાંઈ જાણતી પણ નથી કે મને કોઈ સાપ કહેતા હતા અને હવે દોરી કહે છે અને દેરી દોરી કહી તકૂપ થઈ ગયા. વળી તે કંઈ સાપ કહ્યાથી સાપ પણ થઈ ન હતી અને ફરીથી દેરી કહેવાથી દોરી થઈ એમ પણ નથી અર્થાત તે પોતાના સ્વરૂપમાંથી સહેજે ચલાયમાન થતી નથી; એમ આત્મા (વૃક્ષાંક ૧) સ્વત:સિહ હોવાથી તેના ઉપર જગતાદિ કિંવા દણ્યાદિ અનેક નામ રૂપનો આરોપ થાય અથવા તે એક આત્મારૂપ છે એ એક જ આરોપ તેના ઉપર કરવામાં આવે તેથી તેની તેના પોતાના સ્વરૂપમાંથી કિંચિત્માત્ર પણ મ્યુતિ થતી નથી. તેમ તેને કલ્પના પણ હોતી નથી કે મને કોઈ આજ સુધી અનાત્મા કહેતા હતા અને હવે આત્મા કહે છે, તથા તેવું કહેવાવાળો કેાઈ સાક્ષી હતો, સારાંશ એ કે, આત્મા તે તદ્દન અચલ સ્થિર, ફૂટસ્થ અને સ્વતઃસિદ્ધ એવા પિતાના અનિર્વચનીય સ્વરૂપમાં જ સ્થિત હોય છે. તે જ તારું પિતાનું સ્વરૂપ છે, માટે હે અર્જુન! તું પણ તેવા પ્રકારના આત્મસ્વરૂપવાળે (વૃક્ષાંક ૧) હોવાથી ત્રણ ગુણેથી પર દૈત ભાવથી પણ રહિત, નિત્ય સત્વસ્થ એટલે આત્મસ્વરૂપમાં જ જેની નિત્ય સ્થિતિ છે એવો વેગ અને ક્ષેમ વગરને એટલે આ યોગ અને ક્ષેમનો પણ જેમાં કિંચિત્માત્ર પ્રવેશ નથી એવી આત્મનિષ્ઠાવાળો અર્થાત આ પ્રકારના નિઃસંગ આત્મામાં સ્થિતિ કરનારે થા. यावानर्थ उदाने सर्वतः सम्प्लुनोदके । तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ ४६ ॥ ચારે બાજુ જ્યાં ત્યાં પાણીનું મહાપૂર આવ્યું હોય તેમાં એકાદ ખાબોચિયાની જેટલી કીમત (પ્રજન) હેય છે, તેટલું જ પ્રયોજન આ પ્રકારે આત્મનિષ્ઠામાં સ્થિર થનાર પુરુષને માટે વેદાદિ સર્વ શાસ્ત્રો અને તેમાં બતાવેલાં કર્મોનું હેય છે, એમ સમજવું ગીતાને પણ વેદને જ આધાર છે. કેટલાક મોહવશ થયેલા સ્વાર્થસાધુઓ જેમાં અતિ પ્રચાર પામેલી આ શ્રીમદ્ ભગવદગીતાના ઉપરના (૪૫)માં શ્લોકનો આશ્રય લઈ એવા પ્રકારે બંધ કરતા નજરે પડે છે કે, “શ્રીભગવાન પણ વેદમાં તે ત્રણ ગણોનો જ વિસ્તાર કરી છે. એમ કહે છે એટલે તે ત્યાજ્ય છે અને આ ગીતા જ ગ્રાહ્ય છે.” આ રીતે વેદને હલકા પાડવાના પ્રયત્નો કરનારાઓ અને અંદરખાનેથી મઢા પણ બહારથી લોકોમાં પિતાને જ્ઞાની • Bગ એટ નહિ મળેલ મેળવવું અને પ્રેમ એટલે મળેલાનું રક્ષણ કરવું. સામાન્ય વ્યવહારમાં એ અર્થ પ્રચલિત છે તે સંદિગમ હોવાથી અને સ્પષ્ટતા કરેલી છે, વા માટે અધ્યાય ને,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy