SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બીતાહન] એ પ્રમાણે તત્ત્વવિદ એવા વેદવિદો પાસેથી અમે એ સાંભળ્યું છે. [૧૩ શવાને શક્તિમાન થતું નથી. તેમાં ને તેમાં જ તે જાળાંની જેમ ગૂંચવાઈને ગોથાં ખાતો રહે છે. તેથી ડબનારને જેમ કોઈ ટેકો મળી જાય તો તે સામે પાર નીકળી શકે છે, તેમ આ સંસારચામાં ગોથાં ખાતો છવું, સતશાસ્ત્ર અને સદ્ગુરુના ઉપદેશને આધારે પિતાનું મૂળ સ્વરૂપ કે જે આ ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે તેવું નથી, પરંતુ વાસ્તવિક એક એવો બહુ જ અનેક રૂપે પ્રતીતિમાં આવું છું, મારું સાચું સ્વરૂપ તે જ્યાં આ બહ' એવા ભાવનું પણ અસ્તિત્વ નથી એવા પ્રકારનું તદ્દન અસંગ, નિર્વિકાર, નિવિકલ્પ, અવ્યય, ટસ્થ હોઈ અનિર્વચનીય છે. આ રીતનું તેને પરોક્ષજ્ઞાન થતાં જ તે સાક્ષીભાવસહ પિતાનો વિલય કરી અપેક્ષાનુભવ મેળવી પ્રકાશમાં જેમ અંધારાનો અંશ હોતો નથી તેમ જેમાં દુઃખનું નામનિશાન પણ હોતું નથી એવા અત્યંત આનંદઘન, ચિતન્યસ્વરૂપને અનુભવ લઈ કૃતકૃત્ય બને છે. આમ વસ્તુતઃ તે આત્મસ્વરૂપ એ આ જીવ પોતે જ પિતાનાં સુખદુઃખનો અનુભવ કરે છે અને પાછો તેને પોતાના મૂળ આત્મસ્વરૂપમાં સમેટી લઈ પોતાને પણ વિલય કરી લે છે અને જ્યાં કરવાપણાની, જાણવાપણાની અને આનંદની થાય છે. અર્થાત જે સ્થાનમાં પહોંચ્યા પછી કાંઈ પણ જાણવાપણું રહેતું નથી એમ કહેવા કરતાં તે જાણવાવાળો જે કેાઈ છે તેનો પિતાનો જ જ્યાં વિલય થઈ જાય છે એવા અનિર્વચનીય સ્થાનની પ્રાપ્તિ તે કરી લે છે પરંતુ ભૂલા પડેલાને જેમ કોઈ માર્ગદર્શકની જરૂર હોય છે, તેમ “હું અનંતા૫વાળે છું એવી રીતે પોતાના એકરૂપમાંથી ભૂલા પડેલા પરંતુ વાસ્તવિક રીતે એક આત્મસ્વરૂપ એવા આ જીવાત્માને માર્ગદર્શન કરાવનારા આત્માનુભવી સદગુરુ અને સતશાસ્ત્રોની જરૂર હોય છે, વળી આ અનંતાપે પ્રસરેલા જીવાત્માની દરેકની મતિ વાસનાવશાત્ ભિન્ન ભિન્ન હોય છે, કેમકે તેમની બુદ્ધિ મૂળ પ્રહાવાળી હેતી નથી; પરંતુ તે શ્રદ્ધા અને અશ્રદ્ધા નામક શ્રદ્ધાની જે બે શાખા બે છે, તેમાં જ ગોથાં ખાધા કરે છે. તેવાઓને પોતપોતાની બુદ્ધિ અનસાર મગજમાં સારી રીતે ઊતરે તેવે તે પ્રકારે અનેક યુક્તિપ્રયુક્તિ દ્વારા શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે અને તે માટે જેટલી જેટલી યુક્તિઓની જરૂર છે, તેટલી બધી યુક્તિઓનો વિચાર કરીને જ શાસ્ત્રરચના કરાયેલી છે. જેમ ગુનાઓ થયા પછી કાંઈ કાયદાઓ ઘડવામાં આવતા નથી. પરંતુ તે પ્રથમથી જ ઘડાયેલા હોય છે, ન્યાયાધીશે તે ફક્ત તેને કાયદાની કઈ કલમ લાગુ પડે છે એટલું જ જવાનું રહે છે. તેમ આ જગતમાં વાસનાક જીવોએ મહષિરચિત શા જોઈ પોતે તે પિકો કયા શાસ્ત્રનું અવલંબન કરી શકે તેમ છે, તે ઠેરવી તે પ્રમાણે આચરણ કરી લેયપ્રાપ્તિના માર્ગે આગળ વધવું પડે છે. પરંતુ ઘણા ખરા ઉપાસકે આ રીતે ઈશ્વરનું એકત્વ સમજતા નહિ હોવાથી અજ્ઞાનતાને લીધે સ્વાર્થસાધુઓની જાળમાં ફસાઈ પડે છે. આમ સ્વાર્થસાધુઓના પાશમાં સપડાયેલા બિચારા આ ઉપાસકે ઉપાસનાનું સાચું રહસ્ય નહિ સમજતા હોવાથી દુરાગ્રહ વડે પંથાભિમાનને આવેશ ૫કડીને તેમના હાથારૂપ બને છે. એટલે જેમ કુહાડી લાકડાને જ હાથો કરી તે વડે આખા ઝાડને નાશ કરે છે, તેમ આવા દાંભિક સ્વાર્થસાધુઓની જાળમાં ફસાયેલા આ ઉપાસકો સાચું ધ્યેય પ્રાપ્ત કરવાને બદલે મિથ્યા અભિમાન વડે પોતાનો અને લોકોને તેમ જ આ લોક અને પરલોક એમ બંને પ્રકારને સર્વ રીતે વાત કરી લે છે. આથી તેવા લોકોને માટે પ્રથમ ભગવાન કેણ છે? કયાં રહે છે? ઇત્યાદિ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. મૂળ(પૂર્ણ) શ્રદ્ધાળુઓને માટે તે કશાની જર હોતી નથી, તે તે ઉપર બતાવવામાં આવ્યું છે; પરંતુ તેની આ શ્રદ્ધા અને અગ્રતાપ શાખામાં ગોથાં ખાનારાઓ ઉપાસનાનું સાચું રહસ્ય સમજી શકે એટલા માટે મહષિએ સતશાસોનું પ્રાકટય કરેલું છે. કિરણશ ૨૫ સાચી ઉપાસના આ વિવેચનનો સાર એટલો જ છે કે, અમે દૃષ્ટિએ થતી ઉપાસના તે જ સાચી ઉપાસના છે. પરમાત્મા વસ્તુતઃ તો નિણ, નિરાકાર, અવ્યય તથા મૂળ અવ્યક્ત છે (અહીં આપવામાં આવેલ મળી અબકત શબ્દ વ્યકત ઉપાસનાની ભેદષ્ટિને નિરાસ કરવાના ઉદ્દેશથી આપેલો હેવાથી તે “નાહમવર્ષ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy