SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપધાન બાદ અમુક પાપ કરતા અંતર ડંખતુ રહેવું જોઇએ, એ - પાપક્રિયા પૂર્વે અચૂક વિચાર આવવો જોઇએ કે "મેં ઉપધાન જે કર્યા, ને હું આ પાપ કરું?" આ વિચાર કાં પાપક્રિયાને એ તોડી નાંખશે, કાં પાપના રસને તોડી નાંખશે. આ શુભ વિચાર જ ઉપધાન તપ સ્મૃતિને જીવનભર તાજગી પૂર્ણ રાખશે. તો, આજે જ આટલો નિધરિ અચુક કરી લો. • પરમાત્માના દર્શન વિના મોઢામાં પાણીનું ટીપુ નાંખીશ નહી. ન છ પરમાત્માની પૂજા ગમે તેવા સંયોગોમાં અવશ્ય કરીશ. જ માતા પિતાને પગે લાગીશ, તેમની આજ્ઞા શિરોમાન્ય કરીશ. • રાત્રી ભોજન કરીશ નહી, સંયોગો પ્રતિકુળ હશે તો એક જ વાર ભાણે બેસી જમી લઇશ. • કાંદા, બટાટા, આદુ, મૂળા, ગાજર, લસણ જેવા અભક્ષ્ય પદાર્થો આજીવન વાપરીશ નહી. છ આઇસ્કીમ ખાઇશ નહી. હોટલોમાં જઇશ નહી. અભક્ષ્ય ખાન-પાન દ્વારા શરીરને અભડાવીશ નહી. પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ કરીશ. માંસ, મદિરા, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન જેવા વ્યસનોનુ આજીવન સેવન કરીશ નહી. મધ, માખણ, પીઝા જેવા અભક્ષ્ય દ્રવ્યો વાપરીશ નહી. • જીવોની કતલથી પેદા થતી ઊનની વસ્તુ-ચામડાની વસ્તુ (પર્સ, ચપ્પલ, કોટ, કપડા, સૌંદર્યના સાધનોનો ઉપયોગ કરીશ નહી. નવરાત્રી, ગણેશ, હોળી, શરદપૂનમ, જેવા તમામ લૌકિક પર્વોમાં ભાગ લાશ નહી. છે, જે માળના દિવસે વાર્ષિક ઉપવાસ અને માસિક ઓછામાં ઓછું બેસણુ કરીશ. PRESS NSSMSMSMSMS
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy