SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ફર ફર ફફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય. ગુરુ મ.સા.ની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવુ. ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહી, ફોન કરાવવો નહી. કોઇપણ ઇલેકટ્રોનિકસ આઇટમ વાપરી શકાય નહી. કપડા વિ. સુકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઇએ. શુક-ગળફો—શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઇએ. પરસેવાવાળા કપડા તુરંત સુકવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહી, સુકાઇ જતા તુરંત લઇ લેવા. * ગરમી લાગતા કપડા પુંઠા વિ. થી પવન નાંખવો નહી. કપડા ઝાટકવા નહી. તિર્યંચને પણ સ્પર્શ થાય નહી. * જુઠુ બોલવુ નહી. કોઇની વસ્તુ અડવી નહી. વિજાતીય તરફ રાગ દૃષ્ટિથી જોવુ નહી. મન બહેકાવે એવા કુવાંચન,કુશ્રવણ, કુવિચાર કરવા નહી, પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહી. વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહીં. * નખ કાપવા જ પડે તો તેને ચુનામાં ચોળી કપડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા. * આરિસામાં શરીર, મોઢુ જોવુ નહીં. * નીવિમાં થોડી ઉણોદરી (ભુખ કરતા ઓછુ ખાવુ) રાખવી, આકંઠ ભોજન ન કરવું. ૧૩
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy