SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 'આવા નોકરને તમે નોકરીમાંથી કાઢી મૂકવાનું જ વિચારશો. આ વાત ધનની ગુલામીના સંદર્ભમાં સમજવી જોઈએ. લક્ષ્મીના ઉપયોગથી તમે પોતાના આત્માનું થોડું ભલું કરો કે પુણ્યકાર્ય કરો, તો તમે સાચે જ ધન-પતિ છો, પરંતુ ધન મેળવવા તમે અસત્ય બોલો, અપ્રામાણિક્તા આચરો, ચોરબજારી કરો, ભેળસેળ કરો, કરચોરી કરો, ઓછું તોલો, ઓછું માપ, તો એ અને એવી જ બીજી ગેરરીતિ અપનાવવી એ ધનની ગુલામી નથી, તો બીજું શું છે? એવો ધનરૂપી નોકર તમારી સેવા Rયકાર્ય દ્વારા સ્વર્ગ પામવાના રૂપમાં) કરવાને બદલે ઊલટાનું તમારે જ ધનરૂપી નોકરની સેવા કરવી પડે અને તેનાથી નરકમાં કે દુર્ગતિમાં જવું પડે. તો શું તમે એવું કાર્ય પસંદ કરશો ? ધન આગળ ધર્મ પ્રિય ન લાગવો, એ જ ધનની ગુલામી છે. લાલા ગેંડારામને ધન જ પ્રિય હોત તો વ્યાપારમાં ધર્મનું પાલન કરત નહીં, પરંતુ તેમણે મુશ્કેલીઓ સહન કરીને પણ ધર્મનું પાલન કર્યું, જેનું તેમને સારું ફળ પ્રાપ્ત થયું. આથી ધર્મયુક્ત વ્યવહાર કે વ્યાપારથી વ્યક્તિ ભૂખે મરે છે, એ ભ્રમ ચિત્તમાંથી હાંકી કાઢવો જોઈએ, બલ્ક ધર્મે આ વાક્યને સાચું જ સિદ્ધ કરી બતાવ્યું છે કે, “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” ““જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની અવશ્ય રક્ષા કરે છે.” આમ ધર્મનું સાચું સ્વરૂપ જાણીને જીવનમાં ઉતારનારને સુફળ મળ્યા વગર રહેશે નહીં. સ્થળ : ચોપાટી મેદાન, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૯, આસો વદ ૧૧, રવિવાર ૪૨ હ - રત્નત્રયીનાં અજવાળાં તે નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy