________________
બીજે દિવસે ન ગંગાસ્નાન કરવા ગયો, ત્યારે તેણે પોતાની પત્નીને ઝૂંપડીના બારણે મોઢું ચઢાવીને બેઠેલી જોઈ. આમ તો એ સીધી, સરળ અને વફાદાર નારી હતી, પરંતુ આજે એને એક સાધુએ કહ્યું કે તારો પતિ તો અભાગિયો છે. તેને ધન મળતું હતું, છતાં તે જાણીજોઈને એને છોડીને ચાલ્યો આવ્યો, આ સાંભળીને એનું મગજ ઘૂમરાવા લાગ્યું. તેણે શકુનને સાધુએ કરેલી વાત કરી, ત્યારે શકુને તેને ધર્મની ઘણી વાતો સમજાવી, પરંતુ તે ટસથી મસ થઈ નહીં. આખરે પોતાની પત્નીને લઈને ન એ સાધુની શોધમાં નીક્ળ્યો.
આખો દિવસ ભટક્યા પછી સાંજે એક જીર્ણ શિવાલયની બહાર સાધુને બેઠેલો જોયો. સાધુ નવો આવેલો લાગતો હતો. તે શકુનને જોઈને બોલ્યો,
“અરે મૂર્ખ ! અનાયાસે મળેલા ધનને છોડીને ચાલ્યો આવ્યો. જો લાવ્યો હોત, તો તારું આખું કુટુંબ લીલાલહેર કરત. ધન વગર ક્યાંય ધર્મની સાધના થાય છે ખરી ? જો, તારે એ ધન પોતાના માટે લેવું નહોતું, તો પરોપકારાર્થે વાપરવું હતું. જા, જલદી જા. હજી પણ એ ધન ત્યાં જ પડ્યું હશે. લઈ આવ.’’
કુનની પત્નીની આંખોમાં ચમક આવી, પરંતુ શકુન તો શાંતિથી સ્થિર ઊભો રહીને સાંભળતો રહ્યો. પછી ધીરેથી બોલ્યો,
“મહારાજ ! સૌથી મોટું ધન તો સંતોષરૂપી ધર્મ છે. હું ભલે નીચી જાતિમાં જન્મ્યો હોઉં, કશું ભણ્યો પણ નથી, પરંતુ હું મારા જીવનમાં કોઈ પણ કામ ધર્મને છોડીને કરતો નથી, અને તેથી જ સુખી છું. પરોપકાર કરવા માટે પારકા ધનનો કાદવ લઈ આવું અને પછી તેને ધોઉં, તેના કરતાં તો એનાથી દૂર રહું એ જ વધુ સારું છે. સ્વધર્મની સાધના માટે મને ધનની જરૂર પડતી નથી.''
સાધુ હસતાં હસતાં ઊભા થઈ ગયા અને બોલ્યા, ધન્ય છે શકુન તને ! તેં ધર્મનો સાચો મર્મ સમજી લીધો છે. તું ક્યાં નીચ છે ? તું તો અક્ષય ધર્મધનનો ભંડાર છે.’’
કુનનું મસ્તક વિનયથી ઝૂકી ગયું. એની પત્નીએ આંખ ઊંચી કરીને જોયું તો ત્યાં કોઈ સાધુ નહોતા-કે કોઈ મંદિર નહોતું. આકાશમાંથી ધર્મનું સાચું સ્વરૂપ
૨૩૯