SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત-અનંત કાળથી આ આત્મા વિવિધ યોનિઓમાં ભટકીને આવ્યો છે. પ્રત્યેક ભવમાં એના જ્ઞાન પર જ્ઞાનાવરણીય કર્મના અનંત પરમાણુઓએ પડદો પણ નાખ્યો છે, આમ છતાં પણ આત્માનો જ્ઞાનગુણ તેની સાથે જ રહ્યો, છૂટ્યો નહીં. આત્માનો આ જ્ઞાનદીપક કદી બુઝાતો નથી. સમ્યાન અને અજ્ઞાનનો ભેદ બીજી વાત એ કે અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી, પરંતુ તેનો સંબંધ મિથ્યાજ્ઞાન કે કુશાન સાથે છે. અજ્ઞાન પણ જ્ઞાન તો છે, પરંતુ સમ્યજ્ઞાન નથી. આથી નરક અને નિગોદના જીવોમાં જ્ઞાનનો જે થોડોઘણો અંશ રહેલો હોય છે, તે પ્રાયઃ અજ્ઞાનરૂપ હોય છે અને એ અજ્ઞાનનું કારણ રાગ, દ્વેષ, મોહ છે અને મુખ્ય કારણ તો સમ્યગ્દર્શનનો અભાવ છે. ૧ નરક અને તિર્યંચના જીવો અજ્ઞાનવશ ઘણાં જ કષ્ટ સહન કરે છે. એટલાં કષ્ટ સહન કરે છે કે જેટલાં સાધુ-સાધ્વી પણ સહન કરતાં નથી. એટલી બધી કષ્ટ ધરાવતી ક્રિયાઓ કરે છે, જેટલી સાધુવર્ગની ધાર્મિક ક્રિયાઓ પણ નથી હોતી. આમ છતાં પણ તેમના કષ્ટ-સહનને સમ્યક્તપ કહી શકાય નહીં. અને તેમની કષ્ટપ્રદ ક્રિયાઓ સમ્યક્ચારિત્ર્યમાં ગણાય નહીં. તેમની નિર્જરા સકામનિર્જરામાં પરિગણિત થતી નથી. એવું કેમ ? કારણ કે તેમનું કષ્ટસહન અથવા તેમની કષ્ટપ્રદ ક્રિયાઓ અજ્ઞાનપૂર્વક થાય છે. તેમની નિર્જરા પણ અકામનિર્જરા હોય છે, કારણ કે તે સમ્યજ્ઞાનપૂર્વક થતી નથી. તેમનું જ્ઞાન ત્યારે જ સમ્યક્ થઈ શકે, જ્યારે તે સમ્યગ્દર્શન હોય. અજ્ઞાની કે મિથ્યાજ્ઞાનીની ક્રિયાના સંબંધમાં સંઘદાસગણિએ સ્પષ્ટ કહ્યું છે "जह हाउतिष्ण गओ बहुअतरं रेणु यं ठु भई अंगे । सुदु वि उज्जममाणो तह अज्गाणी मलं चिणई ॥" જેવી રીતે હાથી જળમાં સ્નાન કર્યા પછી વારંવાર પુષ્કળ રેતી શરીર પર લગાડે છે, તેવી રીતે (વિવધ કષ્ટકારક ક્રિયાઓમાં) સારી રીતે ૧. નિર્જરા – સકામ નિર્જરા. તપસ્યા આદિ કર્મોનું એક દેશથી ક્ષય કરવું તે નિર્જા. ઇચ્છાપૂર્વક નિર્જરા તે સકામ નિર્જરા અનાયાસે થતી નિર્જરા તે અકામ નિર્જરા ૧૦૬ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy