SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ તેની ઓળખ થાય છે. લક્ષણ એક પ્રકારનો અસાધારણ ધર્મ હોય છે, જે તે વસ્તુ સિવાય બીજી વસ્તુઓમાં હોતો નથી. આત્માનું લક્ષણ શાસ્ત્રમાં સત્, ચિત્ અને આનંદ. બતાવ્યું છે સત્નો અર્થ છે જેનો ત્રણેય કાળમાં નાશ ન થાય. જ્યારે જ્યારે જોઈએ ત્યારે તેનું એનું એ જ સ્વરૂપ દેખાય, તેમાં કશો વધારોઘટાડો ન થાય, તે સત્ છે. આત્મા સત્ એટલે કે સ્વરૂપની દૃષ્ટિએ હંમેશાં એક સરખો જ હોય છે. તે અવિનાશી છે. આત્મા જેટલા પ્રદેશ(વિસ્તાર)વાળો છે, તેમાંથી એક પણ વિસ્તાર ક્યારેય વધુ કે ઓછો ોતો નથી. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સ્વરૂપની દૃષ્ટિએ સમાન રૂપમાં રહે છે. - - કોઈ કહે કે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાઓ જેવી અવસ્થાઓ દેખાય છે, ત્યારે આત્માના રૂપમાં પણ પરિવર્તન થાય છે, એટલે તે સત્ કેવી રીતે કહેવાય ? આનો ઉત્તર એ છે કે આ પરિવર્તનની સૂચક એવી ત્રણ અવસ્થાઓ શરીરની છે, આત્માની નથી. આમ છતાંય કોઈ એમ કહે કે આ પરિવર્તન આત્માનું છે, તો એની શંકાનું સમાધાન એ કે જ્યારે એ વ્યક્તિ એમ કહે કે હું બાળક હતો, હું યુવક બન્યો, હું વૃદ્ધ છું, ત્યારે આ ત્રણેય અવસ્થાઓમાં તમે જેને ‘હું' કહો છો, તે તો પ્રત્યક્ષ છે. જો આત્મા બદલાતો રહ્યો હોત તો ત્રણેય અવસ્થાઓમાં તેને આ પરિવર્તનની જાણ જ ન થાત. પરિણામે સ્પષ્ટ થાય છે કે આ ત્રણે અવસ્થાઓમાં ‘હું' બદલાયો નથી. પરંતુ તેણે ત્રણેય અવસ્થાઓમાં, ઉપસ્થિત રહીને પરિવર્તન નિહાળ્યું છે, તેથી જે સ્વયં બદલાતો નથી. પરંતુ શરીરમાં આવતી અવસ્થાઓના પરિવર્તનનો અનુભવ કરે છે, તે આત્મા છે. www આત્મા એક દેહનો ત્યાગ કરીને બીજા દેહમાં જાય છે, એક યોનિમાંથી બીજી યોનિમાં ગમન કરે છે તેમ છતાં તેનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. તેના વિસ્તારની સંખ્યા એટલી ને એટલી જ રહે છે. દેહ બદલાય, પણ આત્મા નહીં. આથી આત્મા શબ્દની વ્યુત્પત્તિ આવી કરી છે "अतति सततं गच्छतीति आत्मा" જે નિરંતર પોતાના સ્વરૂપમાં ગમન કરતો રહે છે તે આત્મા છે.' ' સત્, ચિત્ અને.... Co
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy