________________
(૮)
વીર રામમૂર્તિ ત્રીજા બાણશય્યા પર સૂતેલા અખંડ બ્રહ્મચારી ભીષ્મ અને ચોથા ઈન્દ્રજિતનો વધ કરનાર વીર લક્ષ્મણ.” - મા આ દમિયલ બાળકના ડહાપણને જોઈ રહી. એને પાસે ખેંચી વાળ સુંધતાં કહ્યું –
બેટા, આ ચાર જણા તને શા માટે ગમે છે ?”
કારણ કે તેમણે સ્ત્રીના શીલ ખાતર, સ્ત્રી સન્માનની જાળવણી માટે પરાક્રમ કર્યા હતાં. મા, જો ને, હું પણ એવો થઈશ ને આપણા ગામની બહેન-દીકરઓની આબરૂ લૂંટતા એકેએક ગોરા સોલ્જરની ખબર લઈ નાખીશ. મારા ભીમ, ભીખ, હનુમાન અને લક્ષ્મણને અંગ્રેજ સિપાઈઓ સામે મોકલીશ અને એમનો કચ્ચરઘાણ કાઢી નાખીશ.”
આટલું બોલતાં તો બાળકે જાણે અડગ નિશ્ચચય બતાવતો હોય તેમ પોતાનો મુક્કો ઉગામ્યો.
મા ખૂબ જોરથી હસી પડી. એણે બાળકને કલાવતાંકલાવતાં કહ્યું –
બેટા, એમાં તો શરીર બળવાન બનાવવું જોઈએ. ટીંટોડીના માથા જેવા તારાથી કંઈ ન થાય. તને તો એ મચ્છરની જેમ મસળી નાખે.”
“નહીં મા, હું જરૂર બળવાન બનીશ. હું રામાયણનો હનુમાન બનીશ, હું મહાભારતનો ભીમ થઈશ.”