SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નારા, રાગદ્વેષના વિજેતા અને કેવલ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા વીસનું તથા અન્ય તીર્થકરનું પણ હું કીર્તન કરીશ. ૧ શ્રી રાષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનન્દસ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી ચન્દ્રપ્રભજિનને હું વંદન કરું છું ૨ શ્રી સુવિધિનાથ યા પુષ્પદન્ત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ તથા શાતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુન્થનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી. નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વદ્ધમાન એટલે શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે સ્તવાયેલા, કમરુપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા વીસ તથા અન્ય જિનવર તીર્થકરે મારા પર પ્રસન્ન થાઓ. ૫ જેઓ લેકત્તમ છે. સિદ્ધ છે, અને મનવચન-કાયાથી સ્તવાયેલા છે, તેઓ મારા કર્મને ક્ષય કરો, મને જિનધિ- ' ર્મની પ્રાપ્તિ કરાવે તથા ઉત્તમ ભાવ સમાધિ આપે. ૬ ચન્દ્રો કરતાં વધારે નિર્મળ, સૂર્યો કરતાં વધારે પ્રકાશ કરનારા, સ્વયમ્ભરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવો મને સિદ્ધિ આપે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy