________________
૧
સુવ્યવસ્થિત રીતે પેાતાની આગેકુચ કરી રહ્યો છે, જે સમયે ભારતના દ્વિભાષી મુંબાઈ પ્રાંતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ એ રાજ્યની રચના તા. ૧લી મે ૧૯૬૦થી શરૂ થાય છે તેમાંના એક રાજ્ય જેને ગુજરાત કહેવામાં આવે છે. તે મહાગુજરાતના સાહિત્ય ક્ષેત્રે જૈન સાક્ષરેાએ કેટલા કાળેા આપ્યા છે અને ગૂજરાતી ભાષાને વિકસાવવામાં પ્રાર’ભથીજ તેઓએ કેવા પ્રયત્ન કર્યાં છે, તેને ખ્યાલ આ પુસ્તકના કાવ્યેા વાંચવાથી વાંચકાને જરૂર ખ્યાલ આવશે.
,
(
કવિ નરિસંહ મહેતા પહેલાં જૈન કવિઓએ ગૂર્જર—સાહિત્યનું નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. સંવત ૧૪૧૨ માં ખંભાતમાં શ્રી વિનયપ્રભુ ઉપાધ્યાયે શ્રી ગૌતમસ્વામીનેા ' રાસ બનાવ્યા છે. જે રાસ બેસતે વર્ષે એટલે કાર્તિક સુદિ ૧ દિવસે પ્રભાતના સમયે સારાએ ભારતવર્ષમાં દરેક ઊપાશ્રયામાં માંગલિક તરીકે પૂર્વ મુનિએ સભા સમક્ષ સંભળાવે છે અને જે સાંભળવા માટે હજારો લોકો ઊમંગથી ભાગ લે છે. જે રાસ આ પુસ્તકની શરૂઆતમાં લેવામાં આવ્યો છે. સ. ૧૪૧૩ થી હરસેવક મુનિએ શ્રીમયણરેહારાસ રચ્યા તથા વિ. સ. ૧૪૫૦ માં શ્રીસેામસુંદરસૂરિએ આરાધનારાસ લખ્યા તથા વિ. સ. ૧૪૫૫ માં શ્રીમુનિસૂરસૂરિએ શાંત રાસ રચ્યો ને વિ. સ. ૧૪૫૫ માં સાહસે • શ્રીશાલિભદ્ર રાસ' બનાવ્યે સ. ૧૪૬૨ માં ખંભાતમાં શ્રીજયરોખરસૂરિએ · શ્રી ત્રિભુવન દ્વીપક પ્રશ્ન'ધ ” અથવા પરમહંસ પ્રેમધ રચ્યા છે. આ પ્રાધતી પ્રાચીન શુદ્ધ ગૂજરાતી ભાષા જોતાં સાક્ષર શ્રી લાલચન્દ્ર પડિત આ પ્રબન્ધની પ્રસ્તાવનામાં લખે છે કે-૧૫મા સૈકામાં થયેલ માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિતી ગૂજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જુની ગૂજરાતી છે અને અનેક
6
* જૂની ગુજરાતી ભાષાનેા જીવન કાળ ઈ. સ. ૧૨૫૦થી૧૬૫૦ ના આંકી શકાય. એ ૧૬૫૦ ની સાલના અરસાથી આરંભાયેલી અર્વાચીન ગુજરાતી ભાષા ઝાઝા કે અસાધારણ ફેરફારા વિના આજ