SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દયા કરો આપો વચન સુરંગ તું મૂઠી મુજ ઉપર જાપ કરત ઉપગંગ, તર્ક કાવ્યનો તંઈ તદા દીધો વર અભિરામ, ભાષા પણિ કરિ કલ્પતરુ શાખા સમ પરિણામ. કેટલાક કુ-કવિઓ પેટ ભરવા માટે માતા સરસ્વતીનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમની ઝાટકણી કાઢતાં ત્રીજા શ્લોકમાં જણાવ્યું છે કે માતા નચાવાઈ કુ-કવિ તુજ ઉદરભરણ નઈ કાજિ હું તો સદ્ગણ પદિ હવી પૂજુ છું મત લાજિ. પરંતુ માત! હું તો સદ્ગુણ ભરેલાં પદો રચીને તારી પૂજા કરું છું. તે પછી તંબૂ, કંબૂ, અંબૂ જેવા શબ્દો સાથે સરખાવીને બૂસ્વામીના પવિત્ર ચરિત્રની રજૂઆત કરી છે. સાતમા શ્લોકમાં પોતાના ઉપકારી ગુરુદેવ શ્રીમદ્ નયવિજયજી મહારાજના નામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જેમનું નામ એક મહામંત્ર બરોબર છે, એવા ગુરુદેવનું સાન્નિધ્ય મેળવીને હું આ વૃત્તાંત આલેખી રહ્યો છું. આટલો પીઠબંધ બાંધીને પછી પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ જંબૂસ્વામીના ચરિત્રનો પડદો ઊંચક્યો છે. - રાજગૃહી નગરીમાં પરમાત્માનું સમવસરણ રચાયું છે. શ્રેણિક મહારાજા વંદને આવ્યા છે. પ્રભુની દેશના ચાલી રહી છે. વચ્ચે એક દેવ આકાશમાંથી આવ્યો. તેનું તેજ જોઈને બઘા ચક્તિ થઈ ગયા. દેશના પછી શ્રેણિક રાજાએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે, “હે કૃપાળુ ! આપના શાસનમાં અંતિમ કેવળી કોણ થશે ? ત્યારે ભગવંતે કહ્યું કે હમણાં જેનું આગમન થયું તે વિદ્યુમ્માલી દેવ આજથી સાતમે દિવસે આવીને રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠિના ઘરે પુત્રપણે ઉત્પન્ન થશે, અંતે કેવલી બનશે. રાજા શ્રેણિકે એ વિદ્યુમ્માલી દેવ સામે નજર કરી તો તેજ તેજનો અંબાર દેખાતો હતો. સૂર્યનાં તેજ પણ ઝાંખાં પડી જાય એવાં દિવ્યતેજનાં દર્શન આ દેવના લલાટમાં થઈ રડ્યાં હતાં. તેથી શ્રેણિક પૂછે છે, પ્રભુ દેવા છે અનેક વાર જોયા પણ આટલું બધું તેજ અને રૂપ તો કોઈ દેવમાં નથી જોયું. આટલા બધા રૂપ અને તેજનું કારણ શું? પ્રભુએ વિદ્યુમ્નાલી દેવના પૂર્વભવો જણાવ્યા. ભવદત્ત, ભવદેવ અને શિવકુમારના ભવનો ઈતિ માત્માએ કહયો. સહુ એકચિત્તે સાંભળવા લાગ્યા. મગધ દેશની પ્રજા જેમને સાક્ષાત ભગવાન માનીને પૂજે છે એવા આચાર્યશ્રી મહીધર પૃથ્વીતલ પર વિહરતા સંગ્રામ નગરમાં પધાર્યા. તેઓશ્રીની દેશના સાંભળીને ભવદત્તને વૈરાગ્યે થયો. કુમારવયે તેને પ્રવયા - યશોભાતી ૦૮ )
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy