________________
૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવર્તી સાધનાના આઠ આઠ સોપાનમય પ્રારંભિક અને અન્ય બિન્દુઓ.
અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજો અને ત્રીજો દુહો પ્રથમ ફાંટો, ચોથાથી તેવીસમા દુહા સુધી બીજો ફાંટો અને છવીસમાથી ૨૮મા દુહા સુધી સાધનાનો ત્રીજો ફાંટો. ગંગા, જમના ને સરસ્વતીનો આ કેવો મધુર સંગમ!
ઉદાસીનતાના આ સંગમમાં સ્નાન કરનારનો પરિભ્રમણનો થાક દૂર થઈ જાય છે. ઉદાસીન. ઊંચે ચઢેલો. સાધનાની ઊંચાઈએ ચડ્યા પછી હવે પરમધામ” સામે જ દેખાય છે.
કડી ૨૯મીઃ ઉપસંહાર શ્રી નયવિજય ગુરુ શિષ્યની,
શીખડી જેહ અમૃતવેલ રે; એહ જે ચતુરનર આદરે,
તે લહે સુજસ રંગરેલ રે.... આનંદની રંગરેલ માટેનું આ મધુમય આમંત્રણ, મહોપાધ્યાયજીનું આમંત્રણ, તે ન સ્વીકારીએ તો ચાલે કેમ?
ભક્તિયોગમાં ઊતરવા માટે મહોપાધ્યાયજીની ચોવીશી, સાધના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રસ્તુત “અમૃતવેલ'ની સઝાય અને દ્રવ્યાનુયોગના ચિંતન માટે “દ્રવ્યગુણ પર્યાયનો રાસ'. કેવળ ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પણ મહોપાધ્યાયજીએ કેવો મોટો ખજાનો ખોલી દીધો છે!
મહોપાધ્યાયજી, વન્દન તમને !
(અમૃતવેલ ની મઝાય પપ