SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચ જેમ તેમ બોલી જાય છે તો મન પર કશું આવતું નથી. એવી સામાન્ય વ્યક્તિત્વોની વાતોને કૂદાવી જઈએ છીએ. (અધમવયણે નવિ ખીજીએ.) હા, સત્પરુષોની વાતો પર, તેમના હિતોપદેશ પર પૂરતું ધ્યાન અપાય છે. નિર્ઝન્થતા એટલી હદે વિકસવી જોઈએ કે વાતે વાતે ગાંઠો મારતા હતા તે ભૂતકાળની ઘટના બની જાય. “ક્રોધ અનુબંધ નવિ રાખીએ.” અનુબંધ ન રહે. ક્રોધ તાત્કાલિક આવી જાય, પણ એ ઘણો સમય ટકનારો ન બને. ગાંઠ મડાગાંઠ ન પડતાં સૈડકાંના પ્રકારની ગાંઠ જ પડે, જે પલકવારમાં છૂટી જાય. ક્રોધનો અનુબંધ ન રહે, તેનું સાતત્ય ન રહે એનું કારણ ઉપશમ રસનું કરાયેલું પાન છે. અસત્ય બોલવા આદિનાં દૂષણો પણ જઈ રહ્યાં છે. ગ્રન્થિઓ બધી ઓગળી રહી છે. નિર્ચન્થતા વિકસી રહી છે. મિથ્યાત્વની ગ્રન્થિ જતાં, એ મોતિયાનું ઑપરેશન થતાં દષ્ટિ ઝળાંહળાં થઈ ગઈ છે. “સમકિત રત્ન' સાથેની આત્મીયતા સમીપતાએ મિથ્યાત્વના કાચની અસલી ભૂમિકા છતી કરી દીધી છે. આઝંકાર,ભીતરી રણકારની પૃષ્ઠભૂઉપર સાધકસાધનને પંથે પળે છે. આગળની કડીઓ એસાધનાપથનું માર્મિક વર્ણનલઈઆવીરહીછેઃ કડી ૪ થી ૮ : ચતુઃ શરણ ગમન શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ઘરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગામિત્ત રે... જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, - પુષ્પરાવર્ત જેમ મેહરે.... શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું. -
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy