SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનો-સ્તુતિ-સક્ઝાય-રાસાઓ વગેરેમાં ભક્તિરસ તથા વૈરાગ્યરસ છલોછલ ભરેલા દેખાય છે. યોગમાર્ગના આધ વિવેચક અધ્યાત્મદશામાં તેઓ કેટલા બધા નિમગ્ન હતા, તેમણે તે વિષયના અનેક ગ્રંથો રચ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે વર્ણવેલા યોગમાર્ગના તેઓ આદ્ય વિવેચક છે. મૂર્તિપૂજા ઉપરનો રંગ આ ઉપરાંત, પ્રતિમાશતક તથા સીમંધરસ્વામીને વિનંતિરૂપ સ્તવનોથી મૂર્તિપૂજા ઉપર તેમનો કેવો દઢ રંગ હતો, એ પણ જણાઈ આવે છે. નયચક્ર જેવા મહાગ્રંથનો કરેલ ઉદ્ધાર ઉપાધ્યાયજી મહારાજની જ્ઞાનભક્તિ કેટલી અપૂર્વ હતી તેના ઉદાહરણરૂપે નયની તેમણે કેવી રીતે રક્ષા કરી એ હકીકત જાણવા જેવી છે. તે પહેલાં નયચક્રનો થોડો પરિચય કરી લઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે 'મનુસ્ત્રવાહિનં તાર્ષિકહી જેમને શ્રેષ્ઠ તાર્કિક તરીકે વર્ણવ્યા છે અને જેસંભવતઃવિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેલા છે તે આચાર્યભગવાન શ્રી મલ્લવાદિ ક્ષમાશ્રમણે નયે નામના મહાન તર્ક-ગ્રંથની રચના કરી હતી. રથના ચક્રમાં જેમ બાર આરા હોય છે અને તે આરાઓ ચક્રની નાભિમાં રહેલા હોય છે તે પ્રમાણે આ ગ્રંથમાં પણ સર સંજ્ઞાવાળાં ૧૨ પ્રકરણો છે. આ બાર અરોમાં લગભગ બધાં જતત્કાલીન પ્રસિદ્ધદર્શનોની સમીક્ષા કરવામાં આવી છે અને એકાંતવાદી બધાં જ દર્શનો ખોટાં છે એમ સિદ્ધ કરીને તેરમા વિતુર્વ નામના પ્રકરણમાં ચાદરૂપી નાભિનો આશ્રય લેવામાં આવે તો બધાં દર્શનો અપેક્ષાએ અંશતઃ સાચાં બની શકે એમ બતાવ્યું છે. આ આખા ગ્રંથનું મૂળ, પ્રાચીનએકગાથા છે કે જેનીચે મુજબ છેઃ विधिनियमभगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकवचोवत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ (નયચક્ર પૃ. ૯ આ.સ) આ એક જ ગાથા ઉપર મલ્લવાદીજીએ વિસ્તૃત ભાષ્ય રચેલું છે અને તે નાના નામથી ઓળખાય છે. આ વર્ષના પ્રારંભમાં તેમણે રચેલો મંગલ%ોક નીચે મુજબ છેઃ ( શાસનસેવા n ૩૩
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy