SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, તેમ તે લપાતો નથી. જ્ઞાનધારામાં વર્તન કરતા યોગીને જ આવશ્યક ક્રિયાઓ લિપ્તપણાનો અનુભવ કરાવે છે. વળી જે અહંકાર આવી જાય તો કર્મથી લેપાય છે, વ્યવહારથી આત્મા લેપાયો છે. ક્રિયાથી લિપ્ત દષ્ટિ શુદ્ધ થાય છે અને જ્ઞાનપૂર્વકની ક્રિયા દોષરૂપ કચરાથી લેપાતી નથી. તેવા યોગીને નમસ્કાર કરું છું. વળી તેઓ નિઃસ્પૃહી હોય છે. તેમને કોઈ ઈચ્છા નથી હોતી. કારણ સંસારભાવમાં તે આવતી નથી. આખું જગત તણખલા જેવું લાગે છે માટે ઈચ્છા કરતા નથી અને ઇચ્છાનું ફળ કેવું છે? મોહ મૂર્છા-દીનતા છે. માટે તે નિઃસ્પૃહી રહે છે. પુદ્ગલરતિરૂપ ચાંડાલની દોસ્તી કરનાર ઈચ્છા જે આત્માની વિરુદ્ધ છે તેને ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. સ્પૃહાવાળા જીવો હલકા હોય છે. હલકી વસ્તુ તરવી જોઈએ પરંતુ આ સંસારરૂપ સાગરમાં તે ડૂબે છે. વળી નિઃસ્પૃહતાનો ગુણ આવે તો ઘમંડી બને નહિ. ગોચરી, ભૂમિશયન, જીર્ણવસ્ત્ર અને વનમાં ઘર હોય છે તેવા સાધુને ચક્રવર્તી કે ઈન્દ્ર કરતાં પણ વધુ સુખનો અનુભવ થાય છે. વળી મોટા ભાગે નિઃસ્પૃહી આત્મા મૌન રાખે છે. તીર્થંકર પ્રભુ પણ કેવળજ્ઞાન થતાં પહેલાં મૌન રાખે છે, જગતમાં તત્ત્વોને જાણે છે. જ્ઞાન-દર્શનચારિત્ર ત્રણ રત્નો વિષે જ્ઞાન, રુચિ અને આચારની એકતા મુનિભગવંતને હોય છે. વળી શુદ્ધ સ્વભાવમાં રમણતા ના આવે તે દર્શન નથી. ના બોલવું એ તો એક ઇન્દ્રિયવાળા જીવોમાં પણ છે, પરંતુ પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકવી એ ઉત્કૃષ્ટ મૌન છે. મૌન આવે તો જ વિદ્યા વધે. જ્ઞાન આવે. તત્ત્વબુદ્ધિ એ જ વિદ્યા છે. અનિત્યના સંયોગમાં નિત્યપણાની નવદ્વારોથી અશુચિ વહેવડાવતા ગંદા શરીરમાં પવિત્રતાની અને પુગલમાં આત્મપણાની બુદ્ધિ એ અવિદ્યા છે. તત્ત્વબુદ્ધિ એ જ વિદ્યા છે. | સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી થયેલા મેલને દૂર કરી ફરીથી પાપી બનતો નથી તે આત્મા પવિત્ર છે. સ્વરૂપથી જે ભિન્નતાના ચમત્કારને જ્ઞાનમાર્ગના પરિણામવાળા વિદ્વાન જ અનુભવે છે, તત્ત્વ બુદ્ધિરૂપ અંજનનો સ્પર્શ કરીને આત્મામાં પરમાત્માને જ જુએ છે, પરંતુ વિદ્યા વિનયથી આવે છે. જીવ અને જ્ઞાનાવરણીયાદિ કર્મના લક્ષણને ભેદથી ભિન્ન કરનાર, સમજનાર જ સાધુભગવંત વિનયી છે. અજીવથી જીવના ભેદનું જ્ઞાન તે વિવેક છે. વળી અભેદ જ્ઞાન કરોડો જન્મોથી પણ દુર્લભ છે. અવિવેકથી વિકારોનું મિશ્રપણું દેખાય છે. અવિવેક દ્વારા થતી ક્રિયા વિલાસમાં ગણાય છે. વિવેકરહિત આત્માને શરીર અને આત્મા એક જ લાગે છે. પરમભાવે ન ઈચ્છનાર આત્મા શાનમાર | ૨૫૦
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy