________________
અપૂર્ણતાવાળો હોય તો તે પૂર્ણ બને છે. જ્યારે જ્યારે આત્મા બીજા પદાર્થોમાં રાચે છે ત્યારે આત્મા અપૂર્ણ બને છે, એ જ જગતનું મોટું આશ્ચર્ય છે.
જે આત્મા પર-પદાર્થોમાં જ પૂર્ણતા જુએ છે તે મૂર્ણ છે. પુદ્ગલ વગેરે ધન, સ્ત્રી, પરિવાર વગેરેમાં રાચી-માચીને રહે છતાં તેને અધૂરું લાગે. આત્માને એમ લાગે કે પોતે અધૂરો છે, માટે પૂરો થવા ધમાલ કરે છે. જ્યારે ચારિત્ર ધર્મ અંગીકાર કરેલા મુનિભગવંતોને જ્યારે ઇન્દ્ર જુએ છે ત્યારે કોઈ દોષ - ખામી લાગતી નથી, કારણ તે આત્મસુખના માર્ગે છે અને તેમાં પૂર્ણતાનો અનુભવ કરે છે..
જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય વગેરે આત્માનાં સહાયક છે અને આઠ કર્મો અધ્યાત્મપ્રાપ્તિમાં બાધક છે, પરંતુ જ્યારે બાધક એવાં કર્મોનો નાશ સહાયક તત્ત્વો દ્વારા થાય ત્યારે તે આત્મા પૂનમના ચાંદની માફક પ્રકાશમાન થાય છે. આ પ્રકાશમાનતા જ પૂર્ણતાનું સ્વરૂપ છે. ૨. મગ્નતા
મગ્નતા પ્રકટ કરવા માટે જ્ઞાન-દર્શન ચારિત્ર વગેરે ગુણોને પૂર્ણરૂપે પ્રકટ કરવામાં આવે તો તે આત્મા આત્મામાં મગ્ન બને છે. ઇન્દ્રિયોના વિષયોને અટકાવીને, બીજા રૂપ-શબ્દની, વિષયોની પ્રવૃત્તિ અટકાવીને, જગતનાં તત્ત્વોને યથાર્થરૂપે જોઈને સાક્ષીપણું રાખે. પુદગલની વાતો ફીકી | લાગે, ધનનો ગર્વ ના કરે, સ્ત્રી આદિ પરિવારનો આદર ના કરે, આ બધા સાંસારિક ભાવથી પર રહે અને આત્માના સ્વરૂપને જોવા માટે તન્મય રહે, ચૈતન્યસ્વરૂપ આત્મામાં સ્થિરતા પામે, જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં પરમાત્મામાં મગ્ન બને, જગતના પર-પદાર્થો પર કર્તાપણું ના રાખે, પરમાત્મ સ્વરૂપમાં તન્મય બને. ભગવતી સૂત્રના આધારે જે મુનિ જીવનમાં ચારિત્ર્યની વૃદ્ધિથી ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાનમગ્ન બને, જે આવા જ્ઞાનપૂર્ણ સુખરૂપ છે, તેવા મહાત્માના સુખની વાત કહી શકાતી નથી. જેવી રીતે ચંદન-વિલેપનની શીતલતાનું સુખ અને પિયા સાથેના આલિંગનના સુખનું વર્ણન થઈ શકતું નથી તેમ જે આત્મા ઉપરના જે ભાવો છોડવાના છે તે છોડે અને જે ભાવો આત્માની અંદર પ્રકાશિત થાય છે તે ભાવોમાં પૂર્ણ બને તે આત્મા મગ્ન બને છે, તે બીજા અષ્ટકનો સાર છે, શીતલતાની પુષ્ટિ કરે છે. જ્ઞાનામૃતમાં સંપૂર્ણ મગ્ન છે તેની અમે શું સ્તુતિ કરીએ ? તેમને તો મારા કોટી કોટી નમસ્કાર. . .
- નિસાર D વપર
(ા
છે