SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. અનેકાંતવ્યવસ્થા : મૂળ ગ્રંથ ૩૩પ૭ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ અમુદ્રિત છે. તેમાં શરૂઆતમાં કર્તા આ પ્રમાણે મંગલશ્લોકની રચના કરે છે ऐNदस्तोमनतं नत्वा, वीतरागं स्वयम्भुवम् । aनेकांतव्यवस्थायां, श्रमः कश्चिातायते ॥ ૫. દેવધર્મપરીક્ષા : દેવો સ્વર્ગમાં પ્રભુપ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમા નહિ માનનારા સ્થાનકમાર્ગી લોકો તે દેવોને અધર્મી કહે છે, આ વાત ખોટી છે એમ સાબિત કરનારો આ ગ્રંથ છે. એનું મૂળ શ્લોકપ્રમાણ ૪૨૫ છે. તેના ઉપર ટીકા નથી. પ્રકાશક શ્રી. જૈ. ઘ. પ્ર. સભા, ભાવનગર. જે ૨૭ મુદ્દાઓ લક્ષમાં રાખીને ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથની રચના કરી છે તે મુદ્દાઓ ટૂંકમાં આ પ્રમાણે જાણવા : (૧) દેવો અસંયત છે એમ કહેવું એ નિષ્ફર વચન છે. (૨) દેવોને શ્રતધર્મ હોય છે એ મુદ્દાથી પણ તેમને અધર્મી ન કહી શકાય. (૩) દરેક સમ્યકત્વધારી જીવને સૂત્ર અને અર્થ હોવાથી શ્રતધર્મ કહી શકાય જ. (૪) તેઓ સર્વવિરતિરૂપ સંયમને ધારણ કરી શક્તા નથી, આ અપેક્ષાએ અધર્મસ્થિત કહેવાય છે. (પ) તેઓ વિશિષ્ટ બોધરહિત છે, માટે બાલ કહેવાય છે. (૬) સંયમ વિનાનું સમ્યકત્વ નિષ્ફળ છે. આ વચન વિશિષ્ટ અપેક્ષાને જાહેર કરે છે.(૭) નારક જીવોને અને દેવોને લેશ્યાઓ જુદી જુદી હોય છે. તેમાં દેવોની લેશ્યા અપેક્ષાએ પ્રશસ્ત ગણાય છે. (૮) સમ્યકત્વી દેવોને સાધુ વગેરેના વિનય કરવારૂપ તપ હોય છે. (૯) મુનિ વગેરે મહાપુરુષોનું વૈયાવચ્ચ કરીને પણ દેવો પોતાના દેવભવને સફળ કરે છે. (૧૦) ઇન્દ્રો સમ્યગ્વાદી અને નિરવદ્ય ભાષાના બોલનારા કહેવાય છે. (૧૧) ઇન્દ્રો મુનિરાજને અવગ્રહ આપે છે. (૧૨) ચમરેન્દ્ર વગેરે ઈન્દ્રો તથા તેમના લોકપાળદેવો પ્રભુદેવના હાડકાની પણ આશાતના કરતા નથી. (૧૩) હરિકેશીનું વૈયાવચ્ચ યક્ષોએ કર્યું છે. (૧૪) દેવોને સમ્યકત્વરૂપ સંવર હોય છે. (૧૫) ઘાર્મિક વ્યવસાય કરીને સૂર્યાભે પ્રભુપ્રતિમાની પૂજા કરી છે. (૧) વિજયદેવે પણ તે પ્રમાણે પૂજા કરી છે. (૧૭) જન્માભિષેકનો પણ તેવો જ અધિકાર છે, દેવો પ્રભુપૂજા કરે છે તે, આગળ અને પછી, કલ્યાણ કરનારી છે. (૧૮) પછી શબ્દથી અધિકાર પ્રમાણે પરભવ' અર્થ લેવો જોઈએ, કારણ તપશ્ચર્યાદિથી તેવું ફળ મળી શકે છે. (૧૯) સ્થિતિ પણ ધર્મ જ કહેવાય- (૨૦) જ્ઞાનવંત મહાપુરુષોનો લોકોપચાર પણ કર્મ ખપાવવા માટે જ હોય છે. (૨૧) દેવોએ કરેલા મહાન જયોતિર્લર B ૯
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy