SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ તાજે-માજે રહીશ. બીજે કોઈ ઠેકાણે મન રાખ્યા વિના તારા ચરણની સેવા કરીશ. આત્મોપયોગરૂપ તાજી હવા સિવાય બીજે ગંધાતી હવા છે અને આવી તાજી હવા ભક્તિ દ્વારા જ મળે છે. રાગનું પિયર તો સંસાર છે, જ્યારે તારું પિયર મોક્ષ છે, માટે હું તને વળગી રહ્યો છું. મારો હાથ ઝાલ અને તારા મુલકમાં લઈ જા. ' ૧૯. શ્રીમલ્લીનાથસ્વામીનું સ્તવન તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરી રી”...... મારે તો તને રીઝવવો છે પણ કઈ રીતે? તારી ભક્તિથી. અને તેથી પૂજ્ય ઉપાધ્યાયજી મ. એમ કહે છે કે ““શ્રી નયવિજય સુશિષ્ય, એવી જ ચિત્ત ઘરે રી. મારે તો તને રીઝવવો છે અને લોકો ભલે ગમે તેવી વાતો કરે પણ હું તો મારી ભક્તિ વડે જ તને રીઝવીશ. પણ તારી અને મારી વચ્ચે રીઝવવાની વાતનો મેળ થવો ઘણો મુશ્કેલ છે. આમાં કંઈ તારી ખુશામત કરું એ કામ નથી ઓવતી. જે હું તારી ખુશામત કરું તો તું મને ભગાડી જ દે. સાચા ભક્તની ઈચ્છા તને પ્રસન્ન કરવાની છે પણ તને રીઝવવો ઘણો જ કઠણ છે. તું સ્થૂલની ભક્તિથી રીઝતો નથી એટલે વાણીવિલાસરૂપ પ્રશંસાથી તું રીઝીશ નહીં. માટે હું મારા હૃદયને વીતરાગના રાગ વડે રંગી નાખીશ. દ્રવ્યની સાથે ભાવ ભળે તો જ ભક્તિ સજીવ બને છે. ભાવ વગરની ક્રિયા ફળતી નથી. મારે તો તારી કૃપા જોઈએ છે. તારી કૃપા જો એક વખત મળી જાય તો મારું જીવન ધન્ય બની જાય. મારા અવગુણ તરફ ન જોતો, પણ તારી તારકતા વડે મને તાર. મને અને લોકોને રીઝવવા માટેનો એક ઉપાય છે મારી પાસે. તું મારી સામે જે તો હું માનું કે તું રીઝી ગયો છું. તારી ભક્તિને મુક્તિનું બીજ કહેનારા આ મારા આત્માને ભક્તિનું ઉત્તમ રસાયણ મળ્યું છે. હવે મારી માગણી એક જ છે કે તું મારી સામે જો. અનેક નજર કરી નિહાળો નાથ ! હું તો ઇચ્છું તારો સાથ.” તું રીઝી જા તે માટે સાચી ભક્તિ કરીશ, વિશ્વાસ જગદીશ તને એવા ભાવથી ભજીશ કે મારા આત્માના બધા ગુણો કમળની જેમ ખીલવા માંડે. તારી કૃપા નિચોવીસ રતલનો ન --
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy