SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા, હું અને આત્મા એક થઈ જઈએ તેવા ભાવમાં, પૂજ્યશ્રી આનંદના સાગરમાં મહાલી રહ્યા છે. ૧૩. શ્રીવિમલનાથ સ્વામીનું સ્તવન સેવો ભવિયા ! વિમલ જિણેસર....” સત્ ચિદાનંદ સ્વરૂપના સાગરમાં ડૂબેલા એવા પૂજ્યશ્રી “નયવિજય વિબુધ પથસેવક, વાચક યશ કહે સાચું જી.” આમાં પ્રભુ વિના મને ચેન નથી તેવો ભાવ પ્રકટ કરે છે. તમે વિમલ જિનેશ્વરને સેવો. ભક્તિ કરો, બીજી કોઈ પણ ક્રિયા ના કરો. સજનનો સંગ થવો દુર્લભ છે, પણ મને દુર્લભ પ્રભુનાં દર્શનની પ્રાપ્તિ એ પથારીમાં રહ્ય ગંગાની પ્રાપ્તિ જેવી ગણાઈ છે. શુભ પુણ્યોદયે પ્રાપ્ત થયેલી સામગ્રીનો સદુઉપયોગ કરવો તે વાત બતાવી છે. દેવ-ગુર-ધર્મની ભક્તિ કરી શકીએ તેવાં દેશ-કાળ-શરીર મળ્યાં છે તો હું શા માટે બાકી રહી જાઉં? મહેનત નજીવી છે અને લાભનો સુમાર નથી. વળી ભખ્યાને બોલાવીને કહે ચાલ ઘેબર ખાવા તો તે બે હાથ ધરશે નહિ પરંતુ તે તરત જ દોડતો આવીને જમશે, પરંતુ જોજો અવસર ચાલી જાય નહિ, નહિ તો મૂરખ ગણાશો. તે જ રીતે આત્મભાવ પ્રકટ કરનારો, સમ્યક્ત્વ દર્શનની પ્રાપ્તિનો અવસર માનવ-ભવમાં પ્રાપ્ત થયો છે તો બહાના બતાવીને કે આળસ રાખીને આપણે કીમતી સમય ગુમાવીએ તે કેમ પાલવે ?' સમ્યકત્વનો અભાવ એટલે અંધાપો. આંઘળાની જે દશા થાય છે તેવી દશા આપણી સમ્યકત્વ વિનાના આત્માની થાય છે, કારણ અનંતા ભવોએ તમારું દર્શન દીધું છે. જિનશાસન રૂપી મંદિરમાં કર્મ વિવર દ્વારપાળ ઉઘાડે તો જ સમ્યકત્વ દર્શન પ્રાપ્ત થાય. આવા નિત્ય પ્રભુની સ્તવના કરતાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થયેલી છે. આમાં મારામાં જે કષાયની મંદતા, મોહની મોળાશ અને જિન વચનમાં અડગ અધ્યાગરભક્તિ અને આરંભ સમારંભનાં કાર્યો થાય તો જ મારામાં આ દિવ્ય જ્ઞાન પ્રગટે. આ માટે ગુરુના ચરણની સેવા દ્વારા તત્ત્વો પ્રત્યે પ્રીત ઊપજે; સમ્યકત્વ જ્ઞાનરૂપ વિમલાલોકે નામનું અંજન આંજી ચારિત્ર્યરૂપી પરમાત્માનું ભોજન કરાવે છે, ત્યારે મારી { યોભારતી n ૨૩૪
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy