SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ, ઘર્મ, ગુરુકી કરી નિંદા, મિથ્યાતમકે જોસ. હે આત્માનું ! તું કર્મને દોષ શા માટે આપે છે? તું પોતાના મનની મરજી પ્રમાણે ચાલી રહ્યો છે અને રાગદ્વેષને ગ્રહણ કરે છે, એ તારી જ ભૂલ છે, ફોગટ શા માટે કર્મને દોષ આપી રહ્યો છે? તું પોતે વિષયરસમાં ભૂલો પડીમગ્ન થઈ પાપો કરી શરીરને ક્ષીણ કરી રહ્યો છે. મિથ્યાત્વના જોસથી – બળથી દેવ-ગુરુ અને ધર્મની નિંદા કરી જે કર્મો તું બાંધી રહ્યો છે તેનો ઉદય થશે તો તને નરકનું સ્થાન પ્રાપ્ત થશે, ત્યારે તું કોનો સંગ તેવીશ? કોની પાસે તારી પીડા જણાવીશ? નયની અપેક્ષાએ સામાયિક કરી જીવનને કૃતાર્થ કરવાની વાત સરસ રીતે ઉપાધ્યાયજી મહારાજ કહે છે: “ચતુરનર ! સામાયિક નય ધારો, લોક પ્રવાહ છાંડકર અપની, પરિણતી શુદ્ધ વિચારો, દ્રવ્યત અખય અભંગ આત્મા, સામાયિક નિજાતિ, શુદ્ધ રૂપ સમત-મય કહીએ, સંગ્રહ ન કી બાતિ.” , હે ચતુર પુરુષ! સામાયિકને નયની અપેક્ષાએ ધારણ કરો - સમજો અને લોકપ્રવાહોનો ત્યાગ કરી પોતાની શુદ્ધ પરિણતીનો વિચાર કરો. દ્રવ્યાર્થિક નયથી અક્ષય, અભંગ, આત્મા એ જ પોતાની જાતિથી સામાયિક છે. પોતાની જાતિ આત્મા એ જ સામાયિક છે અને સંગ્રહ નયની અપેક્ષાએ સમતામય શુદ્ધ સ્વરૂપવાળો આત્મા તેને સામાયિક કહેવાય. પરમકૃપાળુ પરમાત્માની ધ્યાનની પ્રાપ્તિ એટલે પરમાત્માને પામવા તરફની આત્માની ગતિ. ઉપાધ્યાયજી મહારાજ ધ્યાનમાર્ગની ઉત્તમતા દર્શાવતાં જણાવે છે કે: સકલ અંસ દેખે જગ જોગી, જો બિનુ સમતા આવે, મમતા-અંધ ન દેખે યાકો, ચિત્ત ચિહુ ઓરે ધ્યાવે, યમોભારતી n ૨૦૦ )
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy