SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. ભારતમાં અસંખ્ય જૈન વિદ્વાનો, જૈન ત્યાગીઓ અને જૈન ગૃહસ્થો હતા કે જેઓનું મુખ્ય જીવનવ્યાપી ધ્યેય શાસ્ત્રચિંતન હતું. પં. સુખલાલજી કહે છે કે જૈન સાહિત્યની આ કમી દૂર કરનાર અને તે પણ એકલે હાથે દૂર કરવાનો ઉજ્વળ અને સ્થાયી યશ જો કોઈ પણ જૈન વિદ્વાનને ફાળે જાય તો તે ઉપાધ્યાય યશોવિજયજી ને જ.’૧૧ તેઓએ જૈન તર્કભાષા, જ્ઞાનબિન્દુ પ્રકરણ, અષ્ટસહસ્રી જેવા ગ્રંથો દ્વારા ચૌદમા સૈકાથી માંડીને છેક સત્તરમા સૈકા સુધી નવ્ય નૈયામિકોએ નવ્ય ન્યાયના જે પ્રધાન તત્ત્વોનું પ્રતિપાદન કર્યું હતું તેનું જૈન ન્યાયની અપેક્ષાએ વિસ્તૃત નિરૂપણ શ્રીમદ્ યશોવિજયજી સિવાય બીજા કોઈ પણ વિદ્વાન દ્વારા નવ્યન્યાયની શૈલીમાં જૈન દાર્શનિક તત્ત્વોનું વિસ્તૃત વિવેચન જોવા મળતુંનથી.’૧૨ શ્રી યશોવિજયજી એક તરફ શાસ્ત્રીય તેમ જ લૌકિક ભાષામાં પોતાના સરલ તેમ જ કઠિન વિચારોને જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવાની ચેષ્ટા કરનાર વિદ્વાન તરીકે નજર સમક્ષ આવે છે તો બીજી તરફ બંગાળ અને મિથિલાના નવ્યનૈયાયિકો રઘુનાથ શિરોમણિ ગુણાનંદ અને નારાયણના એ વિચારો કે જે સાથે વાસ્તવમાં તેઓ સંમત નથી તેની ખુલ્લે મોંએ પ્રશંસા કરનાર પોતાના પ્રસિઁપક્ષ તરફ નિખાલસ, જ્ઞાનના અનન્ય ભક્ત તરીકે નજર સમક્ષ આવે છે. તેઓનું ‘દૃષ્ટિબિંદુ તદન વસ્તુલક્ષી અને આગવી શૈલીમાં છે. તેઓ પોતાના પ્રતિપક્ષ પ્રત્યે પ્રામાણિક અને વફાદાર જણાય છે.’૧૩ શ્રી યશોવિજયજી અને તેમની પંકિતના વિદ્વાન બહુશ્રુત જૈનાચાર્યો કે જેઓ દાર્શનિક પ્રતિભા ધરાવનાર છે તેઓને દષ્ટિ સમક્ષ રાખી એક મહત્ત્વના મુદ્દાની વાત પણ કરી લઈએ. આ મુદ્દો છે વિચારો કે સિદ્ધાંતોને લગતી મૌલિકતા કે નવસર્જનનો. ઉપાધ્યાયજીના અને તેમના જેવા બહુશ્રુત વિદ્વાનોના ગ્રંથો તેના વિષયની દૃષ્ટિએ મૌલિક જણાતા નથી, પરંતુ આથી આ વિદ્વાનોનું મહત્ત્વ ઘટતું નથી, દાર્શનિક પ્રતિભા ઓછી થતી નથી; કારણ કે આપણે જોયું તેમ અભેદવાદ, ષડનય, નિક્ષેપ, નવ્યન્યાય વ.માં એમનું જે વિશિષ્ટ પ્રદાન છે તે એમની એક દાર્શનિક તરીકેની અત્યંત પ્રભાવશાળી પ્રતિભાનું દર્શન કરાવે છે. આવી દાર્શનિક પ્રતિભા હોવા છતાં એમણે ક્યાંય કશું પોતે નવું કહેવા માગે છ અને તેને કારણે પરંપરાની બહાર તેમના વ્યક્તિગત અહમ્નો અને તેને કારણે ૧૧ ‘દર્શન ઔર ચિન્તન’-પં. સુખલાલજી પા. ૪૫૯ ૧૨ ‘જૈન તર્ક ભાષા’– સં. ઈશ્વરચંદ્ર શર્મા (હિન્દી) પા. ૧૨ ૧૩ Jain Tark Bhasha-Dr. D. Bhargav p. xvll. રાર્માના પતિની ૧૫
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy