SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુને સમજવાનો પ્રયત્ન નય છે. “આપણી દષ્ટિ, બધી સામાન્ય કે બધી વિશેષ દષ્ટિઓ પણ એકસરખી નથી હોતી, તેમાં પણ અંતર હોય છે. મૂળ બે દષ્ટિઓના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) કુલ સાત ભાગો પડે છે અને તે જ સાત નય છે" જૈન દર્શન મુજબ કોઈ પણ વસ્તુ સાત જુદી જુદી અપેક્ષાએ સમજી શકાય અને તે સાતે નયનું વિવરણ જૈન નયવાદમાં આવે છે. આમ જૈન દર્શનના ખૂબ જ પાયાના સિદ્ધાંત સ્યાદ્વાદ અને નયવાદમાં સત્યને પામવાની અને સમજવાની અનેકાન્તદષ્ટિનો ઉલ્લેખ જોવા મળે છે. ઉપર જણાવેલ નયના ભેદોની સંખ્યા પરત્વે પણ જુદા જુદા મતો જોવા મળે છે. આ મતોનું વિગતે વર્ણન કરવું અહીં પ્રસ્તુત નથી, પરંતુ તેમાંનો એક મત સિદ્ધસેન દિવાકરનો છે જેઓ નૈગમનયને સ્વતંત્ર નય તરીકે ન સ્વીકારતાં “સંગ્રહથી એવં ભૂત સુધીના છ જ નયો સ્વતંત્ર છે અને વ્યાસ્તિક દષ્ટિની મર્યાદા વ્યવહારનય સુધીની જ છે જ્યારે જુસૂત્રથી માંડીને બધા જ નયો પર્યાયાસ્તિક નયની મર્યાદામાં આવે છે એમ દર્શાવે છે; અને આ જ મતનું કે જે આગમ પરંપરાથી જુદો છે તેનું ઉપાધ્યાયજી ખૂબ જ સચોટ રીતે તાર્કિક પદ્ધતિએ સમર્થન કરીને પોતે ષડનયને સ્વીકારે છે. પં. સુખલાલજીના શબ્દોમાં કહીએ તો “સંપ્રદાયમાં રહીને પણ સંપ્રદાયના બંધનની પરવા નહિ કરતાં જે ઉચિત લાગ્યું તેના પર નિર્ભયપણે લખનાર' એવા એક દાર્શનિક તરીકે પૂ. . શ્રી યશોવિજયજી આપણી સમક્ષ આવે છે. હવે આપણે શ્રી યશોવિજયજીની એ વિશેષ દષ્ટિની વાત કરીએ કે જે તેમની પ્રખર દાર્શનિકતા રજૂ કરનાર સાબિત થાય છે અને આ દષ્ટિ તે જ તેમની ન્યાયદષ્ટિ. આ વાતને સવિસ્તાર સમજવા આપણે એટલું જાણવું આવશ્યક છે કે કોઈ પણ દર્શન સમજવા માટે જે તે દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા ખૂબ જ આવશ્યક હોય છે. આ સિદ્ધાંતો તેના ગ્રંથો કે આગમોમાં સૂત્રાત્મક રીતે સિદ્ધાંતોના સ્વરૂપમાં હોય છે. આ સિદ્ધાંતોને સમજવા માટે એ જે ભાષામાં લખાયેલા છે તે ભાષાનું જ્ઞાન અને તેમાં રજૂ થતા વિચારોમાં સમજવા માટે તર્કના નિયમોનું જ્ઞાન આવશ્યક બને છે. આમ એક ભાષાના ઢાંચાને સમજવાની અને બીજી બાજુ વિચારના ઢાંચાને સમજવાની એટલે કે વ્યાકરણશાસ્ત્રની અને તર્કશાસ્ત્રની કોઈ પણ દાર્શનિક સિદ્ધાંત સમજવા માટે ૫ “તત્ત્વાર્થસૂત્ર'- પં સુખલાલજી પા. ૮ સન્મતિ પ્રકરણ - સં. . સુખલાલજી પા.“૧૩૪ પયોભારતી n brદ
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy