SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપા. યશોવિજયજી ગણિવર પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી જૈનશાસનમાં પૂર્વધરોના કાળ પછી પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ, પૂ. આ. શ્રી હેમચંદસૂરિઅને પૂ. ઉપા. યશોવિજયજી ગણિવર - આચારમહાપુરુષો શ્રુતપ્રભાવક મહાત્માઓ થયા છે. આ ચારે મહાત્માઓએ જૈનદર્શનને ખૂબ જ પ્રભાવિત કર્યું છે. - પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજના બનાવેલા સંમતિતર્ક અને કાત્રિશિકાઓ ખૂબ જ અજોડ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદસૂરિ મહારાજે પોતાના “સિદ્ધહેમ' વ્યાકરણમાં, વિભક્તિ વિભાગમાં “અનુપાવ્યાં સત્રના ઉદાહરણમાં “અનુસિદ્ધસેન કવય:” અને “ઉપામાસ્વાતિ સંગૃહીતારઃ આ બે ઉદાહરણ આપ્યાં છે. તેમાં સર્વ કવિઓમાં પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરિને શ્રેષ્ઠ કવિ ગણાવ્યા અને ઓછા શબ્દોમાં વધુ અર્થસંદર્ભ રજૂ કરનાર તરીકે શ્રી ઉમાસ્વાતિ મહારાજને જણાવ્યા છે. પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરની ધાર્નેિશિકાઓ અદ્ભુત હોવાથી અને કાવ્યરચનાઓ ખૂબ જ અલંકારયુક્ત હોવાથી તેમને ઉત્તમ કવિ જણાવ્યા છે. પણ તેઓએ આ કાવ્યો ઉપરાંત સંમતિતર્ક, વગેરે ન્યાયશાસ્ત્રના અપૂર્વ ગ્રંથો બનાવ્યા છે. એ કાળના સર્વદર્શનોનું વિશ્લેષણ કરી જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલીની અપૂર્વ સિદ્ધિ કરી છે. ક ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગના વિષયો ઉપર અનેક ગ્રંથો રચ્યા છે. તેમણે યોગ, દર્શનશાસ્ત્ર અને આગમગ્રંથો ઉપર અનેક ગ્રંથોની રચના કરી છે. અને તે પણ ખૂબ જ તટસ્થવૃત્ત રાખીને કરી છે. ષડ્રદર્શન સમુચ્ચયમાં તેમણે કહ્યું છે “पक्षपातो न मे वीरे, न द्वेषो कपिलादिशु ।। युक्तिमद् वचनं यस्य, तस्य कार्य परिग्रहः ॥" યોભારતી n 1૩૪
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy