SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ બોલ પૈકી બાકીના તેરનો ઉલ્લેખ જોવાય છે. નામ-નિર્દેશ આ ચોવીશીનાં કેટલાંક સ્તવનમાં “જશ” શબ્દનો જાણે શ્લેષ કરી અર્થસંદર્ભમાં ખૂબીથી ગોઠવી દઈ કર્તાએ પોતાનું નામ દર્શાવ્યું છે.. કોઈ કોઈ સ્તવનમાં કવિ જશવિજય એવો પણ ઉલ્લેખ છે. કોઈમાં નામ ન આપતાં ઉપાધ્યાયજીએ પોતાને નયવિજયના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. બાકીનાં સ્તવનોમાં આ પહેલાંની બે ચોવીશીઓનાં સ્તવનોની પેઠે “જશ” એવો પણ ઉલ્લેખ છે. : ૫ : ઉપસંહાર-ત્રણે ચોવીશીની મળીને ૧૨૧ + ૮૮ + ૧૨૬ =૩૩૫ કડીઓ છે. પ્રત્યેક ચોવીશીનો ગ્રંથાગ્ર કોઈ કોઈ હાથપોથીમાં હોય તો તે તપાસીને નોંધાવો જોઈએ. બીજી ચોવીશીમાં એક સ્તવન હિન્દીમાં છે તો એને અંગે તપાસ થવી ઘટે. શું ગુજરાતીમાં રચાયેલું મૂળ સ્તવન નહિ મળી શકવાથી એને સ્થાને આ દાખલ કરી દેવાયું હશે? વાચકનો અર્થ “ઉપાધ્યાય કરાય છે. એ વાચકની પદવી વિજયપ્રભસૂરિએ વિ.સં. ૧૭૧૮માં યશોવિજયગણિને આપી હતી એમ સુજસવેલિ (ઢાલ ૩, કડી ૧૨) જોતાં જણાય છે. આ હિસાબે ‘વાચકના ઉલ્લેખપૂર્વકનાં સ્તવનો વિ.સં. ૧૭૧૮ પહેલાં રચાયાં નથી એમ કહી શકાય. આમ રચના-સમયની પૂર્વ સીમા તો નક્કી થાય છે. ઉત્તર સીમા ઉપાધ્યાયજીના સ્વર્ગવાસના સમય સુધીની વધારેમાં વધારે હોઈ શકે, એથી વિ.સં. ૧૭૩૦ની આસપાસમાં ચોવીશી રચાયાનું સ્થૂળ દષ્ટિએ કહેવાય. જેમ ત્રીજી ચોવીશીમાં ચૌદ ચૌદ બોલ છે તેમ ઉપાધ્યાયજીએ રચેલી વિહરમાણ-જિનવીસી'માં તીર્થકરનું નામ, એમનાં માતાપિતા અને પત્નીનાં નામ, જન્મ-ભૂમિ અને લાંછન એમ છ છ બોલનો નિર્દેશ છે. આવી રીતે સમાનકતુક અન્ય સ્તવનોનું તુલનાત્મક દષ્ટિએ અવલોકન કરી શકાય, પણ આ તો સંક્ષિપ્ત પરિચય હોવાથી એ વાત જતી કરું છું. ( ચોવીશીમો n ૧૫ )
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy